________________
[ ૩૭ ] માનુષત્તર પર્વત વિગેરે માનુષાર પર્વત વેલંધર પર્વત પ્રમાણે પ્રમાણવાળો એટલે ૧૭૨૧ જન ઊંચે, (૪૩૦ એજન ને એક કેસ ઊંડે) ને નીચે ૧૦૨૨, મધ્યમાં ૭૨૩ અને ઉપર ૪૨૪ જન પહોળો છે, પરંતુ અર્ધ જવના આકારવાળે છે, એટલે કે આ બાજુના પુષ્કરાર્ધ તરફ સરખે છે ને બીજા પુષ્કરાઈ તરફ એવધતો પહોળો છે. સુવર્ણમય છે. વેદિકા વનખંડ યુક્ત છે. તેની અંદરના ભાગમાં મનુષ્ય છે અને ઉપર સુવર્ણકુમાર દેવને નિવાસ છે. તેની બહાર મનુષ્ય નથી. એની બહાર દે અને વિદ્યાધર મનુષ્ય જઈ શકે છે, સામાન્ય મનુષ્ય જઈ શકતા નથી. તેની બહાર બાદરાગ્નિ, મેઘ, વિધુત, નદીઓ અને કાળપરિવેષ નથી.
માનુષત્તર પર્વત પ્રમાણે જ કુંડળ ને રુચક પર્વતે તે તે નામના દ્વીપના મધ્યમાં ચક્રાકારે છે.
કોલેદ, પુષ્કરવર સમુદ્ર ને સ્વયંભૂરમણ સમુદ્ર ઉદકના રસવાળા (મીઠા પાણીવાળા) છે. લવણસમુદ્ર ખારા પાણુવાળ છે. વારુણેદધિ વિચિત્ર પ્રકારની મદિરા જેવા પાણીવાળો છે. સાકર વિગેરે વિચિત્ર મિણ વસ્તુના ચોથા ભાગવાળા ગાયના દૂધ જેવા પાણીવાળો ક્ષીરસમુદ્ર છે. સારી રીતે કહેલા અને તત્કાળના ઠરી ગયેલા ઘી જેવા પાણીવાળો ધૃતવરસમુદ્ર છે. બાકીના સમુદ્ર ચતુતકસંયુક્ત કઢીને ત્રીજા ભાગને ઘટાડેલા ઈશુના રસ જેવા પાણીવાળા છે.
૧. જાયફળ, જાવંત્રી એલચી ને લવંગ એ ચાર જાતક કહેવાય છે.