________________
[૨૫] પૂર્વે ને પશ્ચિમે દશ દશ કંચનગિરિ છે. તે સો યોજન ઉંચા, મૂળમાં તેટલા અને ઉપર અર્ધા વિસ્તારવાળા છે. તેની ઉપર કાંચનદેવને નિવાસ છે. તે કંચનગિરિ કહેથી દશ એજન અબાધ સ્થાનવાળા છે એટલે કહેથી તેટલા દૂર છે. તે ઉત્તરકુરૂ ક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનદમય વૃક્ષનું પીઠ છે. તે પાંચશે જન લાંબું પહોળું છે. મધ્યમાં બાર જન જાડું છે. પ્રાંતે બે કેશ જાડું છે. તે પીઠને ચાર દિશાએ ચાર દ્વાર છે. તે પીઠ ઉપર વૈર્યમણિ ને તપનીય વૃતવાળે, જાંબૂનદમય, સુકુમાર અને રક્ત પલ્લવ, પ્રવાળ, તથા અંકુરને ધારણ કરનાર છે. વિચિત્રરત્નમય સુરભિ પુષ્પવાળો છે. તેના અમૃતરસ સદા ફળે છે. તે વૃક્ષની પૂર્વ દિશાની શાખા ઉપર ભવન છે અને બીજી ત્રણ દિશાની ત્રણ શાખા ઉપર પ્રાસાદ છે. મધ્યની વિડિમા ઉપર સિદ્ધાયતન છે. એ સર્વ વિજયાધ પર્વત પરના સિદ્ધાયતનાદિના પ્રમાણવાળા છે. તે મૂળવૃક્ષની ફરતા પરિવારભૂત ૧૮ જંબવૃક્ષે છે. તે મૂળવૃક્ષ કરતાં અર્ધપ્રમાણુવાળા છે. એ જ પ્રમાણે કુલ છ કટક (વલય) જંબૂવૃક્ષની ફરતા અધ અર્ધ પ્રમાણુવાળા છે અને તે વેદિકાવાળા છે. તે મૂળવૃક્ષપર જંબદ્વીપના સ્વામી અનાદૂત દેવને નિવાસ છે. તેના પરિવારભૂત દેવેની સંખ્યા અને વૃક્ષોની સંખ્યા પદ્મદ્રહમાં રહેલા કમળની સંખ્યા પ્રમાણે છે. તે વૃક્ષો અહારથી વૃત્તાકારવાળા છે. મૂળવૃક્ષ સે સે યાજનના પ્રમાણવાળા ત્રણ વનખંડથી પરિવૃત છે. પ્રથમ વનખંડમાં પચાસ
જન જઈએ ત્યારે ચારે દિશામાં ભવન છે અને વિદિશામાં ચાર ચાર પુષ્કરિણુંઓના મધ્યમાં એકેક પ્રાસાદ છે. પુષ્કરિ. ણીઓ એક કેશ લાંબી, અર્ધકેશ પહોળી ને પાંચસો ધનુષ્ય