________________
૨૯૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ તીર્થકરે નિર્વેદી છતાં અન્ય જીના ઉપકારની ખાતર (વ્યવહાર શુદ્ધિ માટે) એ વાડેનું પાલન કરે છે. કેવળજ્ઞાની, પણ સાધુ, સાધ્વીઓ સાથે રહેતાં નથી. આવા જ્ઞાનીઓ પણ આ વ્યવહાર સાચવે છે તે છદ્મસ્થ અને નિર્બળમનવાળા છે માટે તે પૂછવું જ શું? શ્રીજિનેશ્વરેએ પ્રાણિઓના આત્મગુણોની રક્ષા અને વૃદ્ધિ માટે બતાવેલા દરેક વ્યવહારે આત્માને પૂર્ણ ઉપકારી છે. તેની ઉપેક્ષા કરનારે પિતાના આત્માનું પણ હિત સાધી શકે નહિ તે અન્ય જનું હિત તે શી રીતે સાધે? વસ્તુતઃ સ્વ રક્ષાથી પર રક્ષા અને સ્વહિતથી પરહિત સાધી શકાય છે એ અપેક્ષાને ભૂલવા જેવી નથી.
- જ્ઞાનાદિવય-જેનાથી ગેયભાવોને જણાય તે આભિનિશ્ચિક (મતિજ્ઞાન) વિગેરે સમ્યગૃજ્ઞાન અને આદિ શબ્દથી સમ્યગદર્શન અને સમ્યફચારિત્ર, એ ત્રણ ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ કરવી તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે.
बारसअंगाइ सुअं, नाणं तत्तत्थसहहाणं तु । दसणमे चरणं, विरई देसे अ सव्वे अ ॥ १२ ॥
ભાવાર્થ= આચારાંગ’ વિગેરે બાર અંગે વિગેરે તે શ્રુતજ્ઞાન,તત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગદર્શન અને દેશથી અથવા સર્વથી સાવદ્યોગોની વિરતિ તે સમ્યક્રચારિત્ર.
પરમાર્થથી આ ગુણ જ આત્માનું સાધ્ય છે; એ ત્રણની સાધના જેટલે અંશે થાય તેટલે અંશે મોક્ષમાર્ગની સાધના ગણાય છે અને એની સંપૂર્ણ સિદ્ધિને મોક્ષ કહેવાય છે.