________________
૩૦૨
શ્રમણ ક્રિયા સૂત્રસનભ
બહાર રહે, ચાથ ભક્ત (એકાન્તર ઉપવાસ) અને પારણે આયંબિલ કરે, વ્રુત્તિના નિયમ નથી. તે ચત્તા કે પાસું વાળીને સૂઈ રહે, ઉભા રહે, અથવા સરખી જગ્યાએ બેસે, યથાશક્તિ એ પ્રમાણે સાત અહારાત્ર રહે.
નવમીમીજા સાત અહોરાત્રની પ્રતિમા પણ ગામ નગરાદિની બહાર રહીને પાળે, એમાં એટલું વિશેષ છે કે ઉત્કટિકા આસને રહીને, અથવા મસ્તક અને પગની પાનીએ સિવાય શરીરના અન્ય ભાગ જમીનને ન સ્પર્શે તેમ, અથવા માત્ર પૃષ્ટ ` (પીઠ) સિવાયનું અંગ જમીનને સ્પર્શ ન કરે તેમ, અથવા પગ લાંબા કરીને દંડની જેમ ભૂમિ પર શરીરને લાંબુ કરીને, એમ કોઈ પણ આસને રહે.
દશમી-ત્રીજા સાત અહોરાત્રની પણ એમ જ સમજવી, વિશેષ એટલું કે ગાહિકા આસને, વીરાસને (સિંહાસન ઉપર બેસીને પગ નીચે મૂકચા પછી આસન લઈ લેતાં જે રીતે શરીર રહે તેમ), કે આંબાના ફળની જેવા શરીરના વાંકે આકાર કરીને રહે. આ ત્રણમાં સાત સાત અહોરાત્ર ઉપરાન્ત આગળ પાછળ એકાસણાના એક એક દિવસ મેળવતાં પ્રત્યેકના નવ નવ દિવસ ગણતાં સત્તાવીશ દિવસે થાય.
અગિઆરમી-અહોરાત્રની પ્રતિમામાં છટ્ઠના તપ કરે એમ એ ઉપવાસના ચાર ભક્ત અને આગળ પાછળ એકાસણું કરી એક એક ભક્ત છેડતાં કુલ છ ભક્તના ત્યાગ કરે. તે પણ પહેલા અહોરાત્ર પછી છટ્ઠના તપ કરવાના હોવાથી ત્રણ દિવસની સમજવી. છેલ્લા પારણાના એકાસણાના દિવસ–પ્રતિમામાં ગણવા નહિ,