________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૩૧
પડેલુ સુકાઈને વર્ણાન્તર થઈ ગયું હોય તા અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહારાત્ર (૨૪ પ્રહર) અસ્વાધ્યાય, તે પછી રૂધિર ગળે તે પણ અસ્વાધ્યાય નહિ. સ્ત્રીને પુત્ર જન્મે તેા સાત અને પુત્રી જન્મે તેા આઠ અહેારાત્ર અસ્વાધ્યાય જાણવા, દાંત સિવાયનું મનુષ્યનું કઈ પણ હાડકું સા હાથની અંદરની જમીનમાં દાટયું હોય તા બાર વર્ષ સુધી અસ્વાધ્યાય. પડેલા દાંત સેા હાથથી દૂર પરવ્યા પછી અસ્વાધ્યાય નથી, કેાઈ દાંત ખેાવાઈ જાય શોધવા છતાં ન જડે તા અસ્વાધ્યાય નથી; કેાઈ એમ કહે છે કે–તેને એહડાવણા' કાર્યાત્સગ કરવા જોઇએ. અગ્નિથી મળેલાં હાડકાં સેા હાથની અંદર હાય તા પણ અસ્વાધ્યાય નથી. અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાના નિષેધ નથી, પણ સૂત્રની વાચના-પૃચ્છના-પરાવના ન થાય અને ધર્મકથામાં સૂત્ર ન વંચાય.
લાચના વિધિ.
મસ્તક અને દાઢી મૂછના કેશ ચૂંટાવવા રૂપ લેાચપરીષહુ સહન કરવા તે એક મહાનિરાકારક ઉત્તમ અનુષ્ઠાન છે, છતી શક્તિએ યુવાન સાધુએ વર્ષમાં ત્રણ વાર અથવા બે વાર લેાચ કરવા રૂપ એ આરાધના અવશ્ય કરવી જોઇએ. એનાથી વીર્યાન્તરાય કર્મોના ક્ષયાપશમ થતાં બાહ્ય અભ્યંતર બન્ને પ્રકારનું બળ પ્રગટે છે અને તે બળથી અનાદિ સંચિત કર્મોને નાશ કરવા આત્મા ઉત્સાહી થઈ શકે છે. માટે પ્રવ્રજ્યા અંગીકાર કરનારે (સાધુ-સાધ્વીએ) અવશ્ય કરાવવા જોઇએ. તેના વિધિ આ પ્રમાણે—
ચ