________________
૩૦૩
ભિક્ષુની બાર પડિયાઓ
બારમીએક રાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય કારણ કે જે રાત્રિએ આ પ્રતિમાનું પાલન કરે પાળે તે રાત્રી પછી લાગલો જ ત્રણ દિવસને અઠમ તપ કરવાનું હોય છે. એ પણ ગ્રામ નગરાદિની બહાર આખી રાત્રી અનિમેષ નેત્રથી સિદ્ધશિલાની સામે (ઉંચી), દષ્ટિ રાખીને થાય છે, એમાં અવધિ આદિ કોઈ એક વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે,
બાવીસ પરીષહા. ૧-સુધા ભૂખ લાગવા છતાં શક્તિવંત સાધુ એષણાસમિતિનું રક્ષણ કરે અને દીનતા કે વિરહલતા વિના ગીતાર્થ એ સાધુ માત્ર સંયમ યાત્રાનું લક્ષ્ય રાખી ગોચરી માટે ફરે. - ર–પિપાસા તૃષાતુર થયેલ પણ સાધુ વિહારમાં પણ તત્ત્વને જાણ ગીતાર્થ દીનતા વિના પંથ કાપે, કિન્તુ સચિત્ત કે શીતળ પાણીની વાંછા ન કરે, અચિત્ત અને નિર્દોષ પાણીની શોધ કરે.
૩-શીત વદિ કે કામલી આદિથી રહિત પણ સાધુ શીતપરિષહને (ઠંડીને) સહન કરે, પણ અકથ્ય વસ્ત્રને કે અગ્નિને ઉપયોગ કરવાની ઈચ્છા સરખી ન કરે. - ૪-ઉષ્ણ ગરમીથી તપેલ પણ સાધુ ગરમીની નિન્દા ન કરે, છાયાનું સ્મરણ ન કરે, તેમ પંખાની કે શરીરે જળ સિંચવા વિગેરેની ઈચ્છા પણ ન કરે.
પ–દંશમશકડાંસ-મચ્છર વિગેરે કરડવા છતાં જીવ માત્રને આહાર પ્રિય છે એમ સમજતો તેને દૂર ન કરે,
ષ પણ ન કરે અને ત્રાસ પણ ન પામે. - ૬-અચેલક જીણું પ્રાયઃ વસ્ત્રને ધારણ કરતે મુનિ