Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 332
________________ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ. પહેલા મહાવ્રતની પાંચ ભાવનાઓ. मनोगुप्त्येषणादाने-र्याभिः समितिभिः सदा। दृष्टान्नपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः ॥ १ ॥ ભાવાથ–૧–મને ગુપ્તિ, ર–એષણા સમિતિ, ૩-આદાનભંડમત્તનિક્ષેપણુસમિતિ અને ૪–ઈસમિતિએ ચારનું પાલન કરવું, તથા આહાર પાણી જોઈને ગ્રહણ કરવાં, વાપરવાં, એમ પાંચ પ્રકારે અહિંસાવ્રતનું બુદ્ધિમાન આત્માએ રક્ષણ કરવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિગેરેની જેમ હિંસામાં મનનું પ્રાધાન્ય હોવાથી મને ગુપ્તિનું અહિંસામાં ઉપયોગીપણું છે તથા એષણા સમિતિ દ્વારા નિર્દોષ પિંડ લેવાથી, વસ્તુ લેવા-મૂકવા વિગેરેમાં આદાનભંડમત્તનિક્ષેપણ સમિતિના પાલનથી ગમનાગમનમાં ઈર્યાસમિતિના પાલનથી તથા આહાર-પાણી આદિ ચક્ષુ દ્વારા જોઈને લેવાથી અને દિવસે પ્રકાશવાળા સ્થળે પહોળા મુખના ભાજનમાં વાપરવાથી અહિંસાનું પાલન થાય છે. ' બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ. हास्यलोभभयक्रोधप्रत्याख्यानै निरन्तरम् । आलोच्यभाषणेनाऽपि, भावयेत् सुनृतव्रतम् ॥२॥ ભાવાર્થ–બોલવામાં હાસ્યાદિ ચારને ત્યાગ કરવો અને વિચારીને બોલવું. એમ પાંચ પ્રકારે સત્યવ્રતનું પાલન કરવું. કારણ કે-હાંસીથી બોલનારે મિથ્યા (ડું) બોલે, એ રીતે લોભને વશ થએલો ધનની ઈચ્છાથી, ભયભીત ૨૦

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372