________________
દશધા સામાચારી.
એઘ, દશધા અને પવિભાગ, એમ સામાચારી ત્રણ પ્રકારે છે. તેમાં એનિયુક્તિમાં કહેલી તે એઘસામાચારી. તથા ઉત્સર્ગ અપવાદના ભેદો તે પદવભાગસામાચારી સમ જવી. અને દશધાસામાચારી નીચે પ્રમાણે છે—
૧-ઇચ્છાકાર-જીર્વાદિએ શિષ્યને કોઈ કામની પ્રેરણા કરતાં ‘તારી ઈચ્છા હોય તે આ અમુક કાર્ય કરે' એમ કહેવું અથવા કામ કરનારે વિના પ્રેરણાયે પણ ‘આપની ઈચ્છા હાય તે હું અમુક કામ ક” તે. એમ પરસ્પર એક બીજાની ઈચ્છા જોઈ કાર્ય કરવું-કરાવવું, પણ બલાત્કાર નહિ કરવો.
ર-મિથ્યાકાર જિનવચનના સારને જાણ મુનિ સયમની કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય ત્યારે તે ભૂલના સ્વીકારપૂર્વક ‘મિથ્યાદુષ્કૃત' આપે કિન્તુ પુનઃ તેવી ભૂલ ન કરે કે ભૂલને સમજ પૂર્વક આદર ન કરે તે.
૩-તથાકાર્=સૂત્ર અર્થ વિષયક પૃચ્છા કરતાં, ગુર્વાદિ જે કહે તે સાંભળી તરત જ ‘તદ્ઘત્તિ’ કહી સ્વીકારે, પણ કુતર્કાદિ ન કરે. એ રીતે ગુદ્ધિ સામાન્ય વિષયક આદેશ કરે ત્યારે પણ તરત જ ‘તહત્તિ’ કહી સ્વીકાર કરે, વ્યાખ્યા નાદિ સાંભળતાં પણ પુનઃ પુન: ‘તહત્તિ' કહી સ્વીકાર કરે, ઈત્યાદિ.
૪–આયિકી જ્ઞાનાદિ આવશ્યક પ્રયાજને ઉપાશ્રયાદિથી બહાર જતાં · આવસહી' બેલી ગુરૂ આજ્ઞા
6