________________
૨૯૦
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ ક ૧૦-ઉપસંપદાજ્ઞાનાદિની વિશિષ્ટ આરાધના માટે અન્ય આચાર્યની (ગછની) નિશ્રામાં પિતાના આચાર્યની અનુજ્ઞાપૂર્વક રહેવું તે. જ્ઞાન એટલે સૂત્ર-અર્થ આદિ ભણવા માટે, દર્શન એટલે દર્શન પ્રભાવક “સન્મિતિતર્ક વિગેરે ગ્રન્થના અધ્યયન માટે, ચારિત્ર એટલે તપશ્ચર્યા, વિનય, વૈયાવચ્ચ વિગેરે કરવા માટે, એમ તેના અનેક ભેદો અને વિધિ શાસ્ત્રોમાં કહેલો છે. તેમાં પણ ઉપસંપદા તેનાથી લઈ શકાય કે જેને ગુરૂની અનુજ્ઞા મળી હય, પિતાની ગેરહાજરીમાં સ્વચ્છમાં ગુદિની સેવા કરનાર કે ગચ્છની જવાબદારી ઉપાડનારા અન્ય સાધુઓ ગુરૂની પાસે હોય અને પિતાની વિશિષ્ટ શક્તિઓને વિકાસ કરવા માટે સ્વચ્છમાં તેવી સહાય મળે તેમ ન હોય. ઈત્યાદિ વિવેક સમજ.
ચૈત્રમાસમાં કાયોત્સર્ગ કરવાનો વિધિ.
ચિત્ર સુદિ ૧૧-૧૨-૧૩ અથવા સુદિ ૧૨-૧૩-૧૪ અને ભૂલી જવાય તે છેલ્લે સુદિ ૧૩-૧૪-૧૫, એમ ત્રણ દિવસેએ દરરોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી ઈરિ૦ પ્રતિક્રમણ કરી અમારા દઈ “ઈચ્છા સંદિ. ભગળ અચિત્તરજ એહડાવણથં કાઉસગ્ગ કરું? ઈચ્છ, અચિત્તરંજ એહડાવણë કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ૦ કહી, ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીને કાર્યોત્સર્ગ કરે, પારીને પ્રગટ લોગસ્સ કહે. જે આ કાઉસ્સગ ન કરે તે મૂળ આગમનું પઠન-પાઠન-વાંચન કે ગદ્ધહનાદિ કરી-કરાવી શકાય નહિ. (કઈ પ્રતિકમણમાં સજઝાય કહ્યા પછી આ કાયોત્સર્ગ કરી પછી દુકખકખય કમ્પકખયને કાર્યોત્સર્ગ કરવાનું કહે છે, પણ તે યુક્તિ સંગત જણાતું નથી, કારણ કે આ કાર્યોત્સર્ગને સંબંધ પ્રતિકમણ સાથે નથી).