Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 302
________________ ચરણસિત્તરીમાં ક્રોધાદિ નિગ્રહ. ૨૮૩ ક્રોધાદિ નિગ્રહ કેધ માન, માયા અને લોભ એ ચાર કષાયને નિગ્રહ કરે તે ચાર પ્રકાર. એમ ચરણસિત્તરીના “પ-ત્રતે, ૧૦–વતિધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ૩-જ્ઞાનાદિ ગુણ, ૧૨-પ્રકારેતપ અને ૪-કેધાદિ ચાર કષાયને નિગ્રહ એમ ચરણસિત્તરીના સિત્તેર ભેદ સમજવા. એમાં આ રીતે વિશેષતા સમજવી-ચોથા વ્રતમાં બ્રહ્મચર્ય કહેવા છતાં નવબ્રહ્મગુપ્તિ જુદી કહી તે બ્રહ્મચર્યવ્રતનું પાલન નિરપવાદ કરવાનું સૂચવવા માટે છે. મહાવ્રત ચારિત્રરૂપ છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે છેદ વિગેરે ચાર ચારિત્રોના સંગ્રહ માટે સમજવું અને મહાવ્રતથી પાંચ ચારિત્ર પૈકી એક સામાયિક ચારિત્ર સમજવું. તથા યતિધર્મમાં સંયમ–તપ કહેવા છતાં પુનઃ કહ્યાં તે મેક્ષમાં સંયમ અને તપની પ્રાધાન્યતા સમજવા માટે ભિન્ન કહ્યાં છે, સંયમથી નવો કર્મ બંધ અટકે અને તપથી જૂનાંની નિર્જરા થાય, એમ મોક્ષમાં બેની પ્રધાનતા સ્પષ્ટ છે. તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં તે સ્વ-પર ઉપકારક હોવાથી બીજાં તપથી વિશેષતા જણાવવા જુદી કહી. તથા યતિધર્મમાં ક્રોધાદિના અભાવ રૂપ ક્ષમાદિ કહેવા છતાં કોધાદિને નિગ્રહ જુદો કહે તે ઉદયમાં વર્તતા કોધાદિને નિષ્ફળ કરવા રૂપ સમજે અને ક્ષમાદિ, કેપ વિગેરેના અનુદય રૂ૫ સમજવા અથવા ક્ષમાદિ ચાર ઉપાદેય રૂપે અને કેધાદિ ચાર હેયરૂપે ભિન્ન સમજવાં. આ પ્રમાણે ચરણસિત્તરી રૂ૫ મૂળ ગુણનું સ્વરૂપ કહ્યું, હવે કરણસિત્તરરૂપ ઉત્તરગુણનું સ્વરૂપ કહીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372