SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરીમાં ક્રોધાદિ નિગ્રહ. ૨૮૩ ક્રોધાદિ નિગ્રહ કેધ માન, માયા અને લોભ એ ચાર કષાયને નિગ્રહ કરે તે ચાર પ્રકાર. એમ ચરણસિત્તરીના “પ-ત્રતે, ૧૦–વતિધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ૩-જ્ઞાનાદિ ગુણ, ૧૨-પ્રકારેતપ અને ૪-કેધાદિ ચાર કષાયને નિગ્રહ એમ ચરણસિત્તરીના સિત્તેર ભેદ સમજવા. એમાં આ રીતે વિશેષતા સમજવી-ચોથા વ્રતમાં બ્રહ્મચર્ય કહેવા છતાં નવબ્રહ્મગુપ્તિ જુદી કહી તે બ્રહ્મચર્યવ્રતનું પાલન નિરપવાદ કરવાનું સૂચવવા માટે છે. મહાવ્રત ચારિત્રરૂપ છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે છેદ વિગેરે ચાર ચારિત્રોના સંગ્રહ માટે સમજવું અને મહાવ્રતથી પાંચ ચારિત્ર પૈકી એક સામાયિક ચારિત્ર સમજવું. તથા યતિધર્મમાં સંયમ–તપ કહેવા છતાં પુનઃ કહ્યાં તે મેક્ષમાં સંયમ અને તપની પ્રાધાન્યતા સમજવા માટે ભિન્ન કહ્યાં છે, સંયમથી નવો કર્મ બંધ અટકે અને તપથી જૂનાંની નિર્જરા થાય, એમ મોક્ષમાં બેની પ્રધાનતા સ્પષ્ટ છે. તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં તે સ્વ-પર ઉપકારક હોવાથી બીજાં તપથી વિશેષતા જણાવવા જુદી કહી. તથા યતિધર્મમાં ક્રોધાદિના અભાવ રૂપ ક્ષમાદિ કહેવા છતાં કોધાદિને નિગ્રહ જુદો કહે તે ઉદયમાં વર્તતા કોધાદિને નિષ્ફળ કરવા રૂપ સમજે અને ક્ષમાદિ, કેપ વિગેરેના અનુદય રૂ૫ સમજવા અથવા ક્ષમાદિ ચાર ઉપાદેય રૂપે અને કેધાદિ ચાર હેયરૂપે ભિન્ન સમજવાં. આ પ્રમાણે ચરણસિત્તરી રૂ૫ મૂળ ગુણનું સ્વરૂપ કહ્યું, હવે કરણસિત્તરરૂપ ઉત્તરગુણનું સ્વરૂપ કહીએ છીએ.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy