Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રસ્તાવના
યાકિનીમહત્તરાસુનુ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે યોગવિંશિકાની પ્રથમ ગાથામાં કહ્યું છે કે “મોખેણ જોયણાઓ જોગો' જે ક્રિયા આત્માને મોક્ષની સાથે જોડી આપે તે ક્રિયાને યોગ' કહેવાય છે. ત્રિશલાનંદન કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ સર્વજીવોના હિતને માટે અનેક પ્રકારની યૌગિક પ્રક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. તેમાં છ આવશ્યક એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. જૈનદર્શનની એક વિશિષ્ટતા એ છે કે એની કોઇપણ ક્રિયા સંપૂર્ણપણે સપ્રયોજન, સહેતુક અને વૈજ્ઞાનિક હોય છે અને એ ક્રિયામાં આત્માને કર્મથી રહિત બનાવી મોક્ષ અપાવવાની અચિત્ત્વ શક્તિ હોય છે.
છ આવશ્યક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ છ આવશ્યક પ્રતિક્રમણમાં આવે છે અને પ્રતિક્રમણની આ વિશિષ્ટ વિધિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમયથી ચાલી આવે છે. પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર પ્રભુ તથા ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના શાસનકાળમાં દેવિસ, રાઈ, પક્ષી, ચૌમાસી, તથા સાંવત્સરિક એમ પાંચ પ્રકારના પ્રતિક્રમણ છે. જ્યારે શ્રી અજિતનાથ વગેરે બાવીસ તીર્થંકરોના શાસનકાળમાં માત્ર દેસિ અને રાઈ પ્રતિક્રમણ જ હોય છે. અર્થાત્
3
તેઓના શાસનકાળમાં પણ છ આવશ્યક હોય છે.
છ આવશ્યકમાં પ્રતિક્રમણ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે તેમાં છએ આવશ્યકનો સમાવેશ થઈ જાય છે. આ વિધિનાં મૂળ સૂત્રો દ્વાદશાંગીનાં રચિયતા, તીર્થંકર પરમાત્માના મુખ્ય શિષ્યો-ગણધર ભગવંતોએ રચેલાં છે એવી માન્યતા પરંપરાથી ચાલી આવે છે.૪ ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના અર્ધમાગધી ભાષામાં કરી છે તથા તેના મૂળ સ્વરૂપ ઉપદેશ ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ લોકબોલી સ્વરૂપ અર્ધમાગધી ભાષામાં આપ્યો છે. શ્રીમહાવીરસ્વામીએ ઉપદેશ માટે તથા ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના માટે સમગ્ર ભારતવર્ષમાં પ્રયુક્ત વિવિધ ભાષાઓ તથા વિદ્વદ્ માન્ય સંસ્કૃત ભાષામાંથી અર્ધમાગધી
Jain Education International
xi
For Private & Personal Use Only
www.jainelibrary.org