Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 54
________________ સામાયિકના દોષો : સામાયિકની સાધના કરનારે ચાર દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧. અવિધિ દોષ : વિધિપૂર્વક સામાયિક ન કરવું. ૨. અતિપ્રવૃત્તિ નૂન પ્રવૃત્તિ દોષ : શાસ્ત્રોક્ત પધ્ધતિથી થયેલું સામાયિક વિહિત ગણાય. તેમાં વધુ યા ઓછી પ્રવૃત્તિ કરીએ તો આ દોષ લાગે. ૩. દુગ્ધદોષ : ઈહલોક કે પરલોકના ભૌતિક સુખોની પ્રાપ્તિ અર્થે સામાયિક કરવું. સામાયિક મોક્ષૈકલક્ષી બને તે ધ્યાનમાં લેવું. ૪. શૂન્ય દોષ : માનસિક ઉપયોગ રહિતપણે સામાયિક કરવું; વીર્યોલ્લાસપૂર્વક સામાયિક કરવું જોઈએ. આ ઉપરાંત મન, વચન અને કાયાની સંયમ પ્રવૃત્તિઓનો આશય સામાયિકમાં ન સચવાય તો મનના ૧૦ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષ મળી કુલ ૩૨ દોષ લાગે છે.૧૪ આ બત્રીસ દોષોથી વર્જિત શ્રાવક સામાયિક સમયે શ્રમણ સમાન બની જાય છે. સામાયિક વ્રતના અતિચારો : તત્ત્વાર્થ સૂત્રના સાતમા અધ્યાયમાં સામાયિક વ્રતના પાંચ અતિચારોનું વર્ણન મળે છે.૧૫ ૧. કાયદુપ્રણિધાન ૨. વચનદુપ્રણિધાન ૩. મનોદુપ્રણિધાન ૪. અનાદર ૫. સ્મૃતિનું અનુસ્થાપન. ૧૬ ૧. કાયદુપ્રણિધાન ઃ પ્રતિલેખન અને પ્રમાર્જના વગર કે પ્રયોજન વગર શરીર કે તેના અંગો હલાવવા. ૨. વચન દુપ્રણિધાન ઃ કઠોર શબ્દો બોલવા અને ભાષા સિમિત ન જાળવવી. ૩. મનોદુપ્રણિધાન : મનથી સાંસારિક કાર્યો વિષે વિચાર કરવો, સાવઘ વિચારવું. ૪. અનાદર : અનવસ્થાન કે અનાદર બુદ્ધિથી સામાયિક કરવું. સ્મૃત્યનુસ્થાપન ઃ ઉપયોગરહિતપણે અથવા સ્મૃતિભ્રંશથી આ અતિચાર લાગે. ૫. Jain Education International ૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118