SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકના દોષો : સામાયિકની સાધના કરનારે ચાર દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧. અવિધિ દોષ : વિધિપૂર્વક સામાયિક ન કરવું. ૨. અતિપ્રવૃત્તિ નૂન પ્રવૃત્તિ દોષ : શાસ્ત્રોક્ત પધ્ધતિથી થયેલું સામાયિક વિહિત ગણાય. તેમાં વધુ યા ઓછી પ્રવૃત્તિ કરીએ તો આ દોષ લાગે. ૩. દુગ્ધદોષ : ઈહલોક કે પરલોકના ભૌતિક સુખોની પ્રાપ્તિ અર્થે સામાયિક કરવું. સામાયિક મોક્ષૈકલક્ષી બને તે ધ્યાનમાં લેવું. ૪. શૂન્ય દોષ : માનસિક ઉપયોગ રહિતપણે સામાયિક કરવું; વીર્યોલ્લાસપૂર્વક સામાયિક કરવું જોઈએ. આ ઉપરાંત મન, વચન અને કાયાની સંયમ પ્રવૃત્તિઓનો આશય સામાયિકમાં ન સચવાય તો મનના ૧૦ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષ મળી કુલ ૩૨ દોષ લાગે છે.૧૪ આ બત્રીસ દોષોથી વર્જિત શ્રાવક સામાયિક સમયે શ્રમણ સમાન બની જાય છે. સામાયિક વ્રતના અતિચારો : તત્ત્વાર્થ સૂત્રના સાતમા અધ્યાયમાં સામાયિક વ્રતના પાંચ અતિચારોનું વર્ણન મળે છે.૧૫ ૧. કાયદુપ્રણિધાન ૨. વચનદુપ્રણિધાન ૩. મનોદુપ્રણિધાન ૪. અનાદર ૫. સ્મૃતિનું અનુસ્થાપન. ૧૬ ૧. કાયદુપ્રણિધાન ઃ પ્રતિલેખન અને પ્રમાર્જના વગર કે પ્રયોજન વગર શરીર કે તેના અંગો હલાવવા. ૨. વચન દુપ્રણિધાન ઃ કઠોર શબ્દો બોલવા અને ભાષા સિમિત ન જાળવવી. ૩. મનોદુપ્રણિધાન : મનથી સાંસારિક કાર્યો વિષે વિચાર કરવો, સાવઘ વિચારવું. ૪. અનાદર : અનવસ્થાન કે અનાદર બુદ્ધિથી સામાયિક કરવું. સ્મૃત્યનુસ્થાપન ઃ ઉપયોગરહિતપણે અથવા સ્મૃતિભ્રંશથી આ અતિચાર લાગે. ૫. Jain Education International ૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy