Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 50
________________ ત્રીજું : ૪૫ : સારું અને એક દરજી કાપડનું માપ જાણતાં જ કહી શકે છે કે તેમાંથી અમુક કપડાં બની શકશે. એક કુંભાર માટીના પીંડા પરથી કહી શકે છે કે તેમાંથી કેટલાં નળિયાં કે કેટલાં ઘડા ઉતરી શકશે. એક ચિત્રકાર પશુ, પક્ષી, વેલ, બુટ્ટી વગેરેનું ચિત્રામણ આબેહુબ કહી શકે છે. એક શિલ્પી જુદા જુદા ભાવવાળી મૂર્તિઓ, જાણે સાચી જ હોય તેવી બનાવી શકે છે. એક લેખક વિચારોને એટલી સુંદર રીતે ગોઠવી શકે છે કે જેને વાંચતા જ માણસના મન પર સચોટ અસર થાય છે. એટલે સતત અભ્યાસથી-કર્મથી બુદ્ધિમાં એક પ્રકારની વિશદતા આવે છે, જે બીજાની સરખામણીમાં અદ્દભુત લાગે છે. પારિણુમિકી બુદ્ધિ લાત મારનારને શિક્ષા. એક રાજાને સેવકોએ કહ્યું કે “મહારાજ ! સફેદ વાળવાળા અને જીર્ણ શરીરવાળા વૃદ્ધોને નેકરીમાં ન રાખતાં જે તરુણ હોય તેને જ નેકરીમાં રાખવા.” રાજા કરેલ હતું એટલે કે પારિણમિકી બુદ્ધિવાળો હતે. તેણે કહ્યું “વારુ, તમારી વાત ધ્યાનમાં રાખીશ.” : પછી થેડા દિવસ બાદ તરુણુ સેવકોને ભેગા કરીને પૂછયું કે “મને લાત મારનારને શું શિક્ષા કરવી જોઇએ?” તે સાંભળીને

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104