Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 77
________________ હુ મધ-ગ્રંથમાળા : EK : દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદૃષ્ટિ. : પુષ્પ વિશ્વનુ અચલપણું અનાદિપણું-અન’તપણું દ્રવ્યને અનુલક્ષીને માનવામાં આવ્યું છે; પણ જે પર્યાયને અનુલક્ષીને જોવામાં આવે તે રા વિશ્વમાં નિર ંતર પરિવર્તન ચાલી રહ્યુ છે; તેથી તેની કોઈ પણ વસ્તુ કાયમ નથી. જે વસ્તુ ગઇકાલે હતી, તે આજે નથી; જે વસ્તુ ઘડી પહેલાં હતી, તે અત્યારે નથી અને જે અત્યારે છે, તે હવે પછી રહેવાની નથી. અને પરિવર્તન એક પર્યાયના નાશ ( વ્યય) અને બીજા પર્યાયની ઉત્પત્તિ ( ઉત્પાદ ) વિના સંભવતુ નથી, એટલે આ વિશ્વ ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણુ પામે છે, એમ અનુભવી શકાય છે. સારાંશ કે આ વિશ્વ દ્રવ્યની દૃષ્ટિએ અચલ, અનાદિ અને અનંત હાઇને શાશ્વત, સ્થિર અને નિત્ય જણાય છે, પરંતુ પર્યાયની દૃષ્ટિએ તે ઉત્પાદ અને વ્યયવાળુ હાઇને અશાશ્વત, અસ્થિર અને અનિત્ય છે. અને દૃષ્ટિની વાસ્તવિકતા. વિશ્વને નિહાળવાની આ બંને દૃષ્ટિએ વાસ્તવિક છે, યોગ્ય છે; એટલે તેમાંની એક સાચી છે ને બીજી ખાટી છે એમ કહી શકાય નહિ. એ દૃષ્ટિએમાં એક દૃષ્ટિ સાચી હાય તા ખીજી ખાટી જ હાવી જોઈએ, અથવા એક ખાટી છે માટે જ બીજી સાચી હાવી જોઈએ, એ બંને માન્યતાઓ ભૂલભરેલી છે. સંભવ છે કે-અને દૃષ્ટિએ સાચી હોય અને અને દૃષ્ટિએ ખાટી પણ હાય. આ વાત સમજવાને માટે નીચેનાં દૃષ્ટાંતે ઉપયોગી છે.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104