________________
ધમધ-માળા ૯૬ :
હિંદના વિદ્વાન સાહિત્યકાર કાકા શ્રી કાલેલકર જણાવે છે કે-એક જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક જાતિ, એક એક જમાને અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે અને તેથી પરસ્પર વિરોધી દેખાતી છતાં બધી દષ્ટિએ સાચી હોય છે, એ જૈનેના સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં ઘડાએલું આપણે જોઈએ છીએ. વળી તેઓ “ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ' નામના લેખમાં જણાવે છે કે–અમુક દષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દિસે છે, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માંધે જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આ દુનિયામાં આપણું સ્થિતિ છે.
સદુગત હૈસુર નરેશે એક માનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે-જૈન ધર્મના અનેકાંતવાદે તમામ ધર્મો, ફિલસુફીઓ અને યુક્તિવાદનું એક્ય શોધેલું છે.
પંડિત હંસરાજજી શર્માએ “દર્શન અને અનેકાંતવાદ” એ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે-અનેકાંતવાદ એ અનુભવસિદ્ધ, સ્વાભાવિક અને પરિપૂર્ણ સિદ્ધાન્ત છે.
આ જ રીતે બીજા અનેક તટસ્થ વિદ્વાનોએ આ સિદ્ધાંતના મહત્વને સ્વીકાર્યું છે, જેમાં યુગપુરુષ મહાત્મા ગાંધીજીને પણ સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું છે કે-અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનોની દષ્ટિએ તેમને, ખ્રિસ્તીની દષ્ટિએ તેમને વિચાર કરતાં શીખે. મારા વિચારોને કઈ બેટા ગણે ત્યારે મને તેના અજ્ઞાન વિષે પૂર્વે રોષ