Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 386
________________ પ્રતિમાશક ભાગ-૩, તાવપરિતા | ગાથા-૧૯૯-૧૭૦ ગાથા - "वेयवचनं तु णेवं अपोरुसेयं तु तयं मयं जेण । ફચિંદ્ધિ, વય વાપોથં રાહૃાા ગાથાર્થ : વળી વેદવચન આવું નથી=સંભવત્ સ્વરૂપવાનું નથી. જે કારણથી તેમનો મત અપૌરુષેય જ છે, અને “વચન અને કાપી,પેથ” એ અત્યંત વિરુદ્ધ છે. ll૧૬૯ll ટીકા : वेदवचनं तु नैवं संभवत्स्वरूपं अपौरुषेयमेव तन्मतं येन कारणेन, इदम् अत्यन्तविरुद्धं वर्तते, यदुत वचनं चापौरुषेयं चेति गाथार्थः ।।१६९।। ટીકાર્ય : સેવવન .... નાથાર્થ છે. વળી વેદવચન આવું સંભવત સ્વરૂપવાળું નથી=ગાથા-૧૬૮માં કહ્યું કે, સર્વાનું વચન હોવાને કારણે દ્રવ્યસ્તવને કહેનારું વચન સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાનું છે એવું યશને કહેનારું વેદવચન સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાનું નથી; જે કારણથી તેમનો મત અપૌરુષેય જ છે; (અ) આ “વચન અને અપૌરુષેય” એ કથન, અત્યંત વિરુદ્ધ છે. એ કથન “યહુતથી બતાવે છે – વચન અને અપૌરુષેય" એ પ્રકારનું કથન અત્યંત વિરુદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૬૯ ભાવાર્થ : જે રીતે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞનું વચન પુરુષથી કહેવાયેલું હોવાથી સંભવતુ સ્વરૂપવાળું છે, એ રીતે વેદવચન સંભવતું સ્વરૂપવાળું નથી; કેમ કે વેદના માનનારા, વેદ સર્વજ્ઞથી કહેવાયેલ છે એમ માનતા નથી, પરંતુ વેદવચન અપૌરુષેય વચન છે એમ કહે છે, અને અપૌરુષેય વચન કહેવું એ અત્યંત વિરુદ્ધ છે; કેમ કે “વચન અને અપૌરુષેય' એ શબ્દો પરસ્પર વિરુદ્ધ છે. જેમ કોઈ કહે કે, “ને માતા વંધ્ય'=મારી માતા વંધ્યા છે, તો માતા અને વંધ્યા એ વચન વિરોધી છે, તેમ વચન અને અપૌરુષેય એ કથન વિરોધી છે, અને એ સ્વયં જ ગ્રંથકારશ્રી આગળ યુક્તિથી બતાવવાના છે. ૧૦લા અવતરણિકા : एतद्भावनायाह - અવતરણિકાર્ય : આના ભાવ માટે=વચન અને અપૌરુષેય અત્યંત વિરુદ્ધ છે એના ભાવન માટે, કહે છે –

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450