Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 434
________________ પ્રતિમાશતક ભાગ-૩ | પરિણા | ગાથા-૧૯૮, ૧૯૯-૨૦૦૦ ૩૯૯ પ્રવચનમાં, દાન-શીલ-તપ અને ભાવનામય ધર્મમાં આ=વયમાણ આગળમાં કહેવાશે એ, ક્રમ, ભગવાન વડે નિર્દિષ્ટ કહેવાયેલો છે. અન્યથા આ ક્રમને છોડીને, આ ધર્મનોત્રદાનાદિ ચાર પ્રકારના ધર્મનો, અયોગ છે. II૧૯૮૫ ભાવાર્થ પૂર્વે ગાથા-૧૯૬માં બતાવ્યા પ્રમાણે પ્રાયઃ દ્રવ્યસ્તવથી જ જીવો ભાવસ્તવની યોગ્યતાને પ્રાપ્ત કરે છે, તેથી દ્રવ્યસ્તવ કારણ છે અને ભાવસ્તવ કાર્ય છે. આ રીતે ભાવસ્તવમાં દ્રવ્યસ્તવનો આદિભાવ છે, તેના કારણે જ ભગવાને દાન-શીલ-તપ અને ભાવમય ચાર પ્રકારના ધર્મનો ક્રમ બતાવ્યો છે; કેમ કે આદિભાવવાળો દ્રવ્યસ્તવરૂપ દાનધર્મ આવે નહિ ત્યાં સુધી ભાવસ્તવરૂપ શીલાદિ ઉપર-ઉપરના ધર્મો આવે નહિ. ગ્રંથકારશ્રીનો આશય એ છે કે, દ્રવ્યસ્તવ સેવીને જીવ પ્રાયઃ કરીને ભાવસ્તવને યોગ્ય થાય છે, તેથી કરીને ભગવાને ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાનધર્મ બતાવેલ છે. વળી ચાર પ્રકારના ધર્મનો આ ક્રમ છોડીને ધર્મની નિષ્પત્તિ થતી નથી. તેથી કોઈ જીવ દ્રવ્યસ્તવ કરી શકતો ન હોય, આમ છતાં સંયમ ગ્રહણ કરીને ભાવસ્તવમાં યત્ન કરે તો તે જીવમાં ભાવસ્તવ પ્રગટ થાય નહિ. માટે ધર્મની નિષ્પત્તિના અર્થીએ દ્રવ્યસ્તવની શક્તિનો સંચય કરીને સંપન્ન થયેલા વીર્યવાળા થઈને ભાવસ્તવમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. ll૧૯૮ાા અવતરણિકા - एतदेवाह - અવતરણિતાર્થ - આને જ કહે છે–પૂર્વે ગાથા-૧૯૮માં કહ્યું કે, દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારના ધર્મમાં, આગળ કહેવાશે એ ક્રમ વગર, આ ધર્મનો અયોગ છે. એ જ ક્રમ ગ્રંથકારી કહે છે – ગાથા - "संतंपि बज्झमणिच्चं ठाणे दाणंपि जो न वियरेइ । इह खुद्दओ कहं सो सीलं अइदुद्धरं धरइ ।।१९९।। अस्सीलो ण य जायइ सुद्धस्स तवस्स हंदि विसओवि । जहसत्तीएऽतवस्सी भावइ कहं भावणाजालं" ।।२००।। ગાથાર્થ - વિધમાન એવા બાહ્ય અને અનિત્ય એવા પિંડાદિદાનને પણ જે જીવ સ્થાનમાં=પાત્રાદિમાં, આપતો નથી, એ પ્રકારનો ક્ષક એવો તે જીવ, કેવી રીતે અતિદુર્ધર એવા શીલને ધારણ કરી શકે ? અર્થાત્ ન કરી શકે. II૧૯૯II

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450