Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 449
________________ ૪૧૪ પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-કલ (૪) વળી તે અરિહંતના ભક્તો સમ્યજ્ઞાનના સંબંધને કારણે તત્ત્વ જોવામાં અભ્રાંત છે. (૫) વળી તે અરિહંતના ભક્તો સૈદ્ધાંતિક પદાર્થોને જાણવા માટે યત્ન કરે છે ત્યારે યુક્તિમાં રક્ત છે, માટે જિનપ્રતિમાને તેઓ યુક્તિપૂર્વક સ્વીકારે છે. (૯) વળી તે અરિહંતના ભક્તો વિદ્યામાં આસક્ત છે. (૭) વળી તે અરિહંતના ભક્તો તત્ત્વમાં રુચિવાળા હોવાને કારણે શાસ્ત્રો ભણેલા છે. (૮) વળી તે અરિહંતના ભક્તો શાસ્ત્રોમાં કહેલ અનુષ્ઠાનાદિને આચરવામાં નિષ્ઠાવાળા છે. આવા પ્રકારના અરિહંતના ભક્તોને જિનપ્રતિમા અત્યંત નિર્ણાત છે. વળી તે જિનપ્રતિમા કેવી છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે - તે જિનપ્રતિમા તર્કના ઉલ્લેખવાળીતર્ક દ્વારા જિનપ્રતિમા પૂજનીય છે, એ પ્રકારે જણાય તેવી છે. કલા સર્વ પણ લુપકમતનું=પ્રતિમાલપકના મતનું નિરાકરણ કરાયું. ।। प्रतिमाशतकग्रन्थरत्ने शब्दशः विवेचनस्य तृतीयविभागो समाप्तः ।। Bક છે પૃ અનુસંધાન પ્રતિમાશતક ભાગ-૪

Loading...

Page Navigation
1 ... 447 448 449 450