________________
પ્રતિમાશક ભાગ-૩, તાવપરિતા | ગાથા-૧૯૯-૧૭૦
ગાથા -
"वेयवचनं तु णेवं अपोरुसेयं तु तयं मयं जेण ।
ફચિંદ્ધિ, વય વાપોથં રાહૃાા ગાથાર્થ :
વળી વેદવચન આવું નથી=સંભવત્ સ્વરૂપવાનું નથી. જે કારણથી તેમનો મત અપૌરુષેય જ છે, અને “વચન અને કાપી,પેથ” એ અત્યંત વિરુદ્ધ છે. ll૧૬૯ll ટીકા :
वेदवचनं तु नैवं संभवत्स्वरूपं अपौरुषेयमेव तन्मतं येन कारणेन, इदम् अत्यन्तविरुद्धं वर्तते, यदुत वचनं चापौरुषेयं चेति गाथार्थः ।।१६९।। ટીકાર્ય :
સેવવન .... નાથાર્થ છે. વળી વેદવચન આવું સંભવત સ્વરૂપવાળું નથી=ગાથા-૧૬૮માં કહ્યું કે, સર્વાનું વચન હોવાને કારણે દ્રવ્યસ્તવને કહેનારું વચન સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાનું છે એવું યશને કહેનારું વેદવચન સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાનું નથી; જે કારણથી તેમનો મત અપૌરુષેય જ છે; (અ) આ “વચન અને અપૌરુષેય” એ કથન, અત્યંત વિરુદ્ધ છે.
એ કથન “યહુતથી બતાવે છે –
વચન અને અપૌરુષેય" એ પ્રકારનું કથન અત્યંત વિરુદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૬૯ ભાવાર્થ :
જે રીતે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞનું વચન પુરુષથી કહેવાયેલું હોવાથી સંભવતુ સ્વરૂપવાળું છે, એ રીતે વેદવચન સંભવતું સ્વરૂપવાળું નથી; કેમ કે વેદના માનનારા, વેદ સર્વજ્ઞથી કહેવાયેલ છે એમ માનતા નથી, પરંતુ વેદવચન અપૌરુષેય વચન છે એમ કહે છે, અને અપૌરુષેય વચન કહેવું એ અત્યંત વિરુદ્ધ છે; કેમ કે “વચન અને અપૌરુષેય' એ શબ્દો પરસ્પર વિરુદ્ધ છે.
જેમ કોઈ કહે કે, “ને માતા વંધ્ય'=મારી માતા વંધ્યા છે, તો માતા અને વંધ્યા એ વચન વિરોધી છે, તેમ વચન અને અપૌરુષેય એ કથન વિરોધી છે, અને એ સ્વયં જ ગ્રંથકારશ્રી આગળ યુક્તિથી બતાવવાના છે. ૧૦લા અવતરણિકા :
एतद्भावनायाह - અવતરણિકાર્ય :
આના ભાવ માટે=વચન અને અપૌરુષેય અત્યંત વિરુદ્ધ છે એના ભાવન માટે, કહે છે –