________________
પર
ગાથા:
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૭૦
"जं वच्चइ त्ति वयणं पुरिसाभावे उ णेवमेयं ति ।
ता तस्सेवाभावो नियमेण अपोरुसेयते" ।। १७० ।।
ગાથાર્થ ઃ
જે કારણથી બોલાય એ વચન છે, પુરુષના અભાવમાં વળી આ=વચન, આવું નથી=અન્વર્થ સંજ્ઞાવાળું નથી, તે કારણથી અપૌરુષેયપણું હોવાથી નક્કી તેનો જ=વચનનો જ, અભાવ પ્રાપ્ત થાય છે. II૧૭૦I
asi :
यद्=यस्माद्, उच्यत इति वचनमित्यन्वर्थसंज्ञा पुरुषाभावे तु नैवमेतद्, नोच्यत इत्यर्थः, त् तस्यैव वचनस्याभावो नियमेनापौरुषेयत्वे सत्यापद्यते । । १७० ॥
ટીકાર્ય ઃ
યવ્..... સત્યાપદ્યતે ।। જે કારણથી ‘બોલાય એ વચન', એ પ્રમાણે અન્યર્થ સંજ્ઞા છે=વ્યુત્પત્તિ અર્થવાળો વચન શબ્દ છે.
વળી, પુરુષના અભાવમાં આ=વચન, આવું નથી=અન્વર્થસંજ્ઞાવાળું નથી.
તો કેવું છે ? તે કહે છે
નો—તે=નથી બોલાતું એવું છે, તે કારણથી અપૌરુષેયપણું હોતે છતે નક્કી તેનો જ=વચનનો જ, અભાવ પ્રાપ્ત થાય છે. II૧૭૦
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૧૬૯માં સ્થાપન કર્યું કે, વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ છે, · જ વાત યુક્તિથી બતાવે છે
‘જે બોલાય તે વચન’ આવી વચન શબ્દની વ્યુત્પત્તિ છે, અને આથી જ લોકમાં પણ કહેવાય છે કે, અમુક પુરુષનું આ વચન છે. એટલે પુરુષ દ્વારા જે બોલાયેલું છે, તેને જ વચન કહેવાય છે.
કોઈ બોલનાર પુરુષ ન હોય તો તે વચન આવું નથી–વચનની વ્યુત્પત્તિનો જે અર્થ છે તેવા અર્થવાળું નથી, એટલે બોલાતું નથી તેવો અર્થ પ્રાપ્ત થાય અને જે બોલાતું ન હોય તે વચન કહેવાતું નથી; તેથી અપૌરુષેય વચન કહો તો એ જ અર્થ પ્રાપ્ત થાય કે, કોઈ પુરુષથી બોલાતું નથી તેથી તે વચન નથી. અને તેથી તે વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેમ કહેવું અત્યંત વિરુદ્ધ છે; કેમ કે કોઈ બોલનાર ન હોય તેવું વચન છે તેમ માનવું અનુભવથી વિરુદ્ધ છે. II૧૭૦II