Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ ભગવાન મહાવીરનો એમાં શો વાંક ? ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિન ટૂકડો આવી રહ્યો છે. ઠેર ઠેર તેની ઉજવણી માટે સમિતિઓ રચાઈ ચૂકી છે. બેનર્સ બનાવવા આપી દીધાં છે. બેન્ડવાજાંવાળાને ઑર્ડર્સ અપાઈ ગયા છે. આ બધા માટે ફંડ એકત્ર કરવાનાં આયોજનો પુરજોશમાં ચાલે છે ! જે મહાવીરે અપરિગ્રહનો બોધ આપ્યો, એના જ જન્મોત્સવની ઉજવણી માટે પરિગ્રહથી પ્રારંભ કરવો પડશે, કારણ કે જેટલો ભવ્ય દંભ કરવો હશે તેટલો તગડો ખર્ચ તો થશે જ ! હાઉ ફની ! રેડીમેડ વક્તાઓ સ્ટેજ ઉપરથી હંમેશની જેમ ડાહી ડાહી વાતો કરશે અને મહાવીરના નામે પોતાને જે કહેવું હશે તે રજૂ કરશે. ધર્મગુરુઓ પોતાના મમત્વને મહત્ત્વ મળે એ રીતે મહાવીર જન્મોત્સવ ઊજવવા પોતાના ખાસ ભક્તોને પ્રેરણા આપશે.. વેવલા ભક્તો ધન્ય ધન્ય થઈને જયજયકાર કરીને અપાસરા ગજાવશે. બેનર્સ, સૂત્રોચ્ચાર, બેન્ડવાજાં સહિત વરઘોડા નીકળશે. થોડાંક પુસ્તકો પ્રગટ થશે... (આમાંનું કશું ય મહાવીરે કર્યું હતું ખરું? આવું કશું ય કરવાનું મહાવીરે ક્યાંય કહ્યું – લખ્યું છે ખરું?) . 20ા મારા "મહાવીર, તા. મહાબીર નાના * દરા TE. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114