Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ એક વખત ભગવાન મહાવીરના શિષ્ય ગણધર ગૌતમસ્વામી સહજ જિજ્ઞાસાથી પ્રભુને પૂછે છે : ‘હે પ્રભુ ! આપ કહો છો કે એક પળનોય પ્રમાદ ન કરો, તો શું માત્ર એક જ પળનો પ્રમાદ આત્મા માટે અહિત કરી શકે ખરો ? પળભરનો પ્રમાદ આત્માને કેવું નુકસાન પહોંચાડે છે ?’ ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, ‘વત્સ ! તેં સળગતો દીપક તો જોયો જ હશે. પ્રગાઢ અંધકારની વચ્ચે નાનકડો દીવો પેટાવીએ તો શું પરિણામ આવે ?’ ‘હે પ્રભુ ! પ્રગાઢ અંધકારની વચ્ચે દીવો પ્રગટાવીએ તો તિમિરના પરમાણુઓ તૈજસમાં પરિવર્તિત થઈ રહે છે. અંધકાર ખતમ થાય છે અને પ્રકાશ પથરાઈ જાય છે.' ‘હે ગૌતમ ! એ પ્રકાશ કેટલો સમય ટકે છે ?’ ‘જ્યાં સુધી દીપક જલતો રહે છે ત્યાં સુધી. . .’ ‘અને દીપક બુઝાઈ જાય તો શું પરિણામ આવે ?‘ ‘તો પુનઃ અંધકાર થઈ જાય. તૈજસ પરમાણુ પુનઃ તિમિરના પરમાણુ બની જાય...' ‘હે ગૌતમ ! દીપકનું જલવું અને બુઝાઈ જવું એ પળભરની જ ઘટના છે. દીપકનું બુઝાઈ જવું અને અંધકાર પથરાઈ જવો એ અલગ ઘટનાઓ નથી. તેમની વચ્ચે ક્ષણનું ય અંતર નથી. બસ એ જ રીતે પળનો પ્રમાદ અને આત્માનું અકલ્યાણ એ બે ઘટનાઓ પણ ભિન્ન નથી. પ્રમાદ આવ્યો અને પતન થયું. પ્રમાદ અંધકાર છે. પ્રમાદ દિશાશૂન્યતા છે. પ્રમાદ અજ્ઞાન છે. પ્રમાદ પાપ છે અને પાપથી મોટું અકલ્યાણ જગતમાં બીજું કોઈ નથી !” ભગવાન મહાવીર એક વખત પરિષદમાં બિરાજમાન હતા. એક જિજ્ઞાસુ સાધકે એમને પ્રશ્ન કર્યો, “પ્રભુ ! આપના વ્યક્તિત્વનો વિરોધાભાસ જોઈને મને વિસ્મય થાય છે...” “કેવો વિરોધાભાસ ?' “આપ અગાઉ એકલા જ રહેતા હતા. એકાંતમાં સાધના કરતા હતા. ઉપદેશ પણ આપતા નહોતા, મૌન રહેતા હતા અને હવે આપ પરિષદની વચ્ચે - મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114