Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 98
________________ તો ય એ તીર્થંકર - પરમાત્મા બની શક્યા. એનો અર્થ એ થયો કે તીર્થંકર બનવા માટે આ બધી માયાજાળ કમ્પલસરી નથી. મહાવીરે કોઈ દેરાસર બનાવ્યું હોય એવું જાણવા મળ્યું નથી ! મહાવીરે પોતાની નિશ્રામાં કોઈ પ્રતિષ્ઠા મહોત્સવો કરાવ્યા હોય તેવા ઉલ્લેખો મળતા નથી. ઇન શોર્ટ, પરમાત્માપદ પામવા માટે સુકૃત્ય જરૂરી છે, વેવલી ભક્તિ નહિ ! દેરાસરો બાંધવાનું આજે એટલું બધું સ્પર્ધાત્મક બની ગયું છે કે એ જોઈને ભક્તિભાવ જાગવાને બદલે દયાભાવ જાગે છે ! પુણ્ય કમાવા માટે ગાંડા થયેલા હરખઘેલાઓને વાચતુર ધર્માત્માઓ (?) આબાદ રીતે બાટલામાં ઉતારી દેતા હોય છે. શ્રીમંતોની બે નંબરની કમાણી ભેગી કરીને પ્રતિસ્પર્ધી સાધુના તીર્થ કરતાં ચઢિયાતાં તીર્થસ્થળો ઊભાં ક૨વાની અત્યારે જે કોમ્પીટીશન ચાલી છે એમાં દર્શન કરતાં પ્રદર્શન વધુ જોવા મળે છે. હાઈવે ઉપર પાંચ-સાત કિ.મી.ના અંતરે નવાં નવાં તીર્થો બનતાં જાય છે. શાળા-કૉલેજનાં મકાનો વધે એટલે શિક્ષણ વધ્યું એમ ન કહી શકાય. ઈંટ-ચૂનાનાં તીર્થો વધે એટલે ધર્મ વધ્યો એમ ના કહી શકાય. આજકાલના મોટા ભાગના સાધુ-મહારાજે સાધના છોડીને તીર્થ બનાવવા પાછળ પડી ગયા હોય તેમ લાગે છે. એમાં એમણે તો માત્ર પ્રેરણા જ આપવાની ને ! ભોળા શ્રીમંતોને ભક્તિ અને મોક્ષના બહાને ખંખેરવાના, કરોડો રૂપિયાનાં ભંડોળ ભેગાં કરીને તીર્થો બનાવવાનાં પછી લાખોના ખર્ચે પ્રતિષ્ઠા-મહોત્સવો કરવાના.... પ્રેરક તરીકે બાપજીનું નામ તખ્તી ઉપર કોતરાઈ જાય... ! પ્રતિષ્ઠા પતી ગયા પછી જેમણે ધનના ઢગલા કર્યા હોય એ શ્રીમંતો તો પોતાના બિઝનેસકારોબારમાં ગૂંથાઈ જાય... અને પેલા બાપજી એ તીર્થના માલિક બની બેસે ! હા, હજૂરિયા ટ્રસ્ટીઓ હોય,પણ એ તો બિચારા બાપજીની આંગળીના ઇશારે નાચનારા હોય ! દેરાસર (તીર્થ) સ્થપાય એટલે ત્યાં ચડાવા થાય, મહોત્સવો થાય, ભંડાર મુકાય, ધર્મશાળા બનાવીને જાતજાતના નકરા લેવાય... મબલક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114