Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
)
ભગવાન મહાવીર દીય
ભૂતકાળ બની શકે નહિ !
એક પત્રકારે મને પૂછ્યું, “ભગવાન મહાવીરનો ર૬૦૦મો જન્મકલ્યાણક દિવસ ઊજવાઈ રહ્યો છે, તેની આજે શી ઉપયોગિતા છે ? મહાવીરના અસ્તિત્વને અઢી હજાર કરતાં પણ વધારે વર્ષ વીતી ગયાં છે... મહાવીર અતીત છે, ભૂતકાળ છે. ભવિષ્ય તરફ ચાલવામાં અતીત કઈ રીતે ઉપયોગી બને ?”
મારે એટલું જ કહેવું છે કે, કેટલીક બાબતો કાળથી પર હોય છે. તે ના તો કદી અતીત બને છે કે ન તો કદી ભવિષ્ય બને છે. હવાને આપણે શું કહીશું? સૂરજને આપણે શું કહીશું? આકાશને આપણે શું કહીશું? હવા, સૂરજ, આકાશ વગેરે કદીય વાસી બને ખરાં ? એ કદીય અતીત બને ખરાં ?
મહાવીર ગઈકાલે પણ વર્તમાન હતા, આજે પણ વર્તમાન છે અને આવતીકાલે પણ વર્તમાન જ રહેશે.
અસ્તિત્વ ઉપર કાળનો પ્રભાવ પડી શકે, વ્યક્તિત્વ ઉપર નહિ. મહાવીર વ્યક્તિત્વ છે. તે સ્થળ અને કાળથી પર છે. મહાવીર ત્યાગી હતા, વીતરાગ હતા છતાં તેમણે સમાજના પ્રત્યેક ક્ષેત્રની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહાવીરના સિદ્ધાંતો સદાય તાજા અને તાજગીપૂર્ણ જ રહેશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114