Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
છે કે ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય છે, તેને બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવાનો પ્રયત્ન કરી જ ના શકાય તે દંભી તો છે જ, સાથોસાથ ભગવાન મહાવીરનો પણ વિરોધી છે.
શ્રદ્ધા તો બહુ મોટી તાકાત છે. ધર્મ તો વિશ્વનું માંગલ્ય કરનારું બળ છે. પણ બુદ્ધિ વિના ધર્મ સમજી ન શકાય અને બુદ્ધિ વિના ધર્મમાં શ્રદ્ધાને સ્થિર કરી ન શકાય. પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધર્મક્ષેત્રે અવારનવાર શાસ્ત્રાર્થ માટે જ્ઞાનીઓ વિવિધ સ્પર્ધાઓ કરતા. તેમાં બુદ્ધિ અને તર્ક વડે ધર્મનો મર્મ જાણવાનો પ્રયત્ન થતો. હજારો લોકો ભેગા થઈને ધર્મસભાઓમાં શાસ્ત્રાર્થ જાણવા પ્રયત્ન કરતા. આજે શાસ્ત્રાર્થ નથી થતા પણ વિવાદ અને વિખવાદ થાય છે. હવે સત્યનો આદર કરવાને બદલે મમત્વને મહત્ત્વ આપવામાં આવે છે. આજે કહેવાતા ધર્માત્માઓ પોતાના હિતનું રક્ષણ થાય તેવા ઉપદેશો આપે છે. શાસ્ત્રોના છીછરા અર્થની ભક્તોને લહાણી કરે છે અને ભક્તોનું ટોળું હરખપદુડું થઈને દોટ મૂકે છે. પરિણામે ધર્મનો પ્રચાર-પ્રસાર થવાને બદલે સામાન્ય માનવી પણ પરમાત્મા બની બેસે છે. કોઈ ગુરુને અંધશ્રદ્ધાથી ભગવાન બનાવીને તેની પૂજા કરવા લોકો ટોળે વળે છે ત્યારે ધર્મ દૂર ખૂણામાં ઊભોઊભો ડૂસકાં ભરે છે.
ચાલો, પ્રભુ મહાવીરે પ્રબોધેલા સત્યને સમજીએ અને શુદ્ધ ધર્મને પામીએ.
માટે વીર તાણ કાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114