Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. પ-૧૦-૯૯
૨૮
વેલબાઈ સભાગૃહ, અદરજીની વાડી અને પાયોનિયર સ્કૂલમાં રાખવામાં આવેલ. ખૂબ જ શાંતિ અને વ્યવસ્થાપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયેલ. રોજિંદા પ્રવચનોમાં હાલ ત્રિષીના આધારે “સંસાર અને મોક્ષનું સ્વરૂપ' વિષયક વ્યાખ્યાનો ચાલે છે, જેમાં ખૂબ જ સારી સંખ્યામાં ભાવિકો લાભ લે છે. હવે પછી સૂત્ર તરીકે શ્રી આચારાંગજી-ધૂતાધ્યયનના વ્યાખ્યાનો શરૂ થશે. રવિવારીય ચાર-પાંચ કલાકની વ્યાખ્યાન-વાચના શ્રેણી, રાત્રિ પ્રવચન, બાળ સંસ્કરણ સામાયિક શ્રેણીને, પણ ટૂંકમાં પ્રારંભ થશે. વિવિધ સામુહિક તપારાધનાઓ અનુષ્ઠાનોની પણ જાહેરાત થશે. પૂજ્યોની સ્થિરતા “ધર્મ ગરી' નષ્ફ હોલ, વેલબાઈ સભાગૃહના બીજા-ત્રીજા માળે છે. રોજ સેંકડો પુણ્યાત્માઓ દર્શન-વંદન-પ્રવચન શ્રવણાદિનો અપૂર્વ લાભ લઈ રહયાં છે.
Hસંધાણી. કોઈના હૈયાં હાથમાં ન રહડ્યાં હતાં. ભવનિસ્તારક
સૂરિ ભગવંતોના પ્રવેશે ચંદ્રને જોઈ મહાસાગર વાંભ વાંભ ઊછળે તેવું દૃશ્ય જનમહાસાગરને ઉભરાતાં જોવા મળ્યું હતું. | શુભ મુહૂર્ત પૂજ્યોએ “ધર્મનગરી' નષ્ફ હોલ અને I વલબાઈ સભાગૃહના પૂર્વ સન્મુખ દ્વારથી મંગલ પ્રવેશ કર્યો.
મોંઘેરી મૂલ્યવાન ગÇલીઓથી પૂજ્યોને સત્કારવામાં આવ્યા.
બને ઈમારતોને નવવધૂની જેમ શણગારવામાં આવેલ. અંદર I પ્રવેશતાં જ જાણે રાજમહેલમાં આવ્યા હોઈએ તેવી ભવ્ય II સજાવટ કરવામાં આવેલ. ચારે બાજુ મખમલી પડદાઓ,
કલાત્મક સ્તંભો, સુંદર બોર્ડોમાં કલાપૂર્ણ સુવિચાર, લેખન,
દાંડીઓ, અલગ અલગ પૂતળાંઓ, સૂરિરામનું મહાકાય [મૃતિ મંદિર વગેરે અનેક બાબતો ઊડીને આંખે વળગે તેવી
હતી. પ્રવેશદ્વારની એક તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મજાનું જિનાલય પણ નિર્માણ કરાયું હતું.
પૂજ્યોની વ્યાખ્યાન પીઠની સુંદર સજાવટ કરવામાં આવી હતી.
પૂજ્યપાદ વિદ્વદર્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિચક્ષણસૂરીશ્વરજી મહારાજે મંગલાચરણ ફરમાવ્યા બાદ પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજે ગંભીર બુલંદ અવાજે મંગળ પ્રવચન કર્યું. ત્યારબાદ પ્રવચન પ્રદીપ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂરિજી મહારાજે રોચક શૈલીમાં મંગલ હિતશિક્ષા ફરમાવી.
| મંગલ પ્રવેશને વધાવવા ગુરુપૂજનની ઉછામણી | બોલાતાં, ભારે રસાકસી વચ્ચે ભોરોલ તીર્થ નિવાસી મહેતા
નથુબેન હરિલાલ દેવચંદ ઝવેરી પરિવારે લાભ લીધો અને સર્વ સૂરિ પ્રમુખનું સુવર્ણ-રૌપ્ય મુદ્રાઓ મૂકી નવાંગી ગુરુપૂજન કર્યું હતું. જે સમગ્ર ઉછામણી તથા પૂજન દ્રવ્ય શાસ્ત્રમાં બતાવ્યા મુજબ દેવદ્રવ્ય ખાતે જમા કરવામાં આવેલ. મંડપમાં પ્રવેશતાં જ દરેક પુણ્યાત્માઓને વિવિધ પરિવારોએ સંઘપૂજન
રૂપે ૧૫ ગ્રામની માટુંગા ચાતુર્માસની વિગતથી અંકિત I રીપ્યમુદ્રા અર્પિત કરી હતી.
ચાતુર્માસ આયોજક પરિવારો ૦ ગોવિંદજી જેવત ખોના ૦ તલક્યતદ જસાજી (રૂમાલવાળા)
નંદલાલ દેવચંદ શેઠ (કલક્તાવાળા) ૦ સુશીલાબેન પુનમચંદ બાલુ
શેઠઃ તમે કયા કામમાં બહુ હોશિયાર છો નોકર : રસોઈ, ડ્રોઈગ રૂમ અને તિજોરી સાફ કરવામાં
દરદી: ડોકટર સાહેબ, વાળ સફેદ ન થાય તે માટે શું કરવું? ડોકટર: મુંડન કરાવી નાંખો.
શિક્ષક : મનુષ્ય કરતાં પ્રાણીઓની દ્રષિ. સારી કેવી રીતે કહી શકાય? ટિક : કારણ કે પ્રાણીઓ ચશ્મા પહેરતા નથી.
(મુ.સ.)
| ગામ-પરગામથી પધારેલ 5000 થી ૭000 અંબા ભાઈ-બહેનોની સાધર્મિક ભકિત (સંઘજમણ) નષ્ફ હોલ,
m. श्रीकलारारागरसरि जानन्दिर