Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
=
: ક્ષમા ધર્મથી આત્માને અજવાળીએ . !
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિજયજી મ.
જગતના સઘળા એ છે સાથે સાચા ભાવે ક્ષમાપના કરવી હોય તે નમતા છે અને ખમતા શીખવું જોઈએ. નમવા માટે લઘુતા જોઈએ, ખમવા માટે નિખાલસતા છે અને સરળતા જોઈએ. “હું મટે છું” આમ માનનારે કોઈ પણ નમવા ગ્યને પણ 8 નમી શકે નહિ અને હૈયામાં બીજું હોય અને બતાવે બીજું તે ખમી શકે નહિ. છે
જ્યારે આ ક્ષમાપના પર્વના ગુણગાન ગાતા હિતૈષીએ ફરમાવે છે કે પ્રાણી માત્રને 8 પ્રેમને પયગામ આપતું આ પર્વ છે ! વેર–વિરોધ–વિખવાઢના વમળોનું વમન કરા4 વનારું આ પર્વ છે ! અહિંસાની આલબેલ પોકારતું અને ક્ષમા ધર્મને જયનાd 3
ગજવતું આ પર્વ છે ! તૂટેલાં દિલના તાણાવાણાના તારને સાંધનારું આ પર્વ છે ય છે. કેઈના પણ દિલની વેદનાને હરનારું આ પર્વ છે. શરીરના ઘા રૂઝાય છે પણ છે { મનના ઘા રૂઝાતા નથી તો તેને પણ રૂઝાવનારું આ પર્વ છે.
- જેના જીવનમાં ક્ષમા નથી તેનું જીવન વૈરની આગથી ધગતું હોય છે. બાઝવા છે અને ઢાઝવા-ઝાડવા વિના બીજું કાંઈ તેના જીવનમાં દેખાતું નથી જે સ્વયં બળે
અને અનેક બાળે તેને તો લેક દૂરથી સલામ ભરે છે. છે ક્ષમાપના મર્મને સમજેલો આત્મા તો ભૂલ થઈ નથી અને એકરાર-સ્વીકાર ર કર્યો નથી. તેને નાનાની પણ માફી માગવામાં નાનમ નથી, ઝુકવામાં જરા ય ઝાંખપ નથી તેથી જ સાચી મૈત્રીના માંડવામાં પરસ્પરની ભૂલોને ભૂલી જતાં અને ગળી
જતાં તેને વાર લાગતી નથી. કારણ “ભૂલને ભૂલી જાવ અને ગમ ખાવાનું શીખવનાર છે આ પર્વ છે. તે જ પુણ્યાત્મા ‘મિત્તી એ સવ્વ ભૂ એસુ, વેર મજ } ન કેણઈ” છે અર્થાત્ “બધા જ છે મારા મિત્રો છે, કઈ જ મારુ શત્રુ નથી” સાચા ભાવે બોલી ?
તે સમજે છે કે, કોધાદિ તે આત્માની વિભાવ શા છે અને ક્ષમારિ આત્માને વભાવ, “પર:પ્રવિષ્ટક્રૂતે વિનાશં” ઉક્તિને સમજનાર તે માને છે કે બહારને ઘરમાં ઘુસેલો, ઘરને વિનાશ કરે છે. ક્રોધાઢિ તે ચેરિટ છે આત્માના ઘરમાં ઘુસી આત્માને નાશ કરે છે. ક્રોધી આત્માનું જીવન વિષમય–ત્રાસમય બને છે. સ્વનું તે ભયંકર દુકશાન અને અહિત કરે છે પણ સાથે–પાસે રહેલાને પણ નુકશાન કરે છે અહિતના ગર્તામાં ધકેલે છે જયારે ક્ષમાવાન સ્વચ શાંતિને પામે છે અને પરિચયમાં આવનારા | સૌને સાચી સુખ-શાંતિ-સમાધિને અનુભવ કરાવે છે. જીવનને સુખ-શાંતિ-સમાધિમય
બનાવી પરંપરાએ મોક્ષ સુખને પમાડનાર આ ક્ષમા ધર્મને સૌ સાચા ભાવે આઠર ન કરનારા બને તે જ મંગલ કામના.