________________
सुखरामा तिहासिक लेख
ભાષાન્તર ક! સંવત ૧૦૫૧ માઘ શુદિ ૧૫ ને પ્રખ્યાત અણહિલપાટકમાંથી પહેલાં પ્રમાણે રાજાવલી-પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી મુલરાજદેવ, પિતાના રાજ્યના સત્યપુર મંડલનાવરણુક ગ્રામમાં વસતા સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણદિ સર્વ પ્રજાને શાસન કરે છે –
તમને જાહેર થાઓ કે આજે ચંદ્રગ્રહણસમયે જગતના સ્વામિ, અખિકાના પવિત્ર રવામિ શિવની પૂજા કરીને ઉપર જણાવેલું વરણ ગામ તેની ચગ્ય સીમા સુધી, વૃક્ષઘટા સહિત, કાક, તૃણ, જલ સહિત, દશાપરાધના દંડની સત્તા સહિત, અમારા માતાપિતા અને અમારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાન્યકુબ્ધથી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર, સર્વ વિદ્યામાં નિપુણ, તનિધિ, શ્રીદીર્વાચાર્યને દાનપત્રથી પાણીના અર્થ સાથે અમેએ આપ્યું છે. આ જાણીને અમારા વંશના કે અન્ય ભાવી કૃપાએ આ અમારાં દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. અને એ નીચે વર્ણવેલી ચાર સીમાઓ સહિત અપાયું છે–પૂર્વ ઘણુર ગામઃ દક્ષિણે-ગુદાઉક ગામઃ પશ્ચિમે વઢ ગામઃ ઉત્તરે મેત્રાલ ગામ – આ ગામની સાથે ઘાલીકાના ત્રીજા ભાગનું પાણી પણ અપાયું છે. અને ભગવાન શ્વાસે કહ્યું છે - ભૂમિનાર ૬૦૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ દાન હરી લેનાર અથવા હરી લેવામાં અનુમતિ દેનાર તેટલો જ કાળ નરકમાં વસે છે. આ દાન કાયસ્થ કાચ્ચનથી લખાયું હતું. દતક મહત્તમ શ્રી શિવરાજ હતા. શ્રી મૂલરાજના હસ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com