________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
* દ્રવ્યદષ્ટિ જિનેશ્વર *
| સર્વ જીવો સાધર્મી છે. સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાવ ને સુખી થાવ! કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ. શ્રી સમયસાર ગાથા-૩૮ના શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સર્વ જીવો આત્મામાં મગ્ન થાવ! આહાહાહા! જુઓ જ્ઞાનીની ભાવના! પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે એટલે સર્વ જીવો પણ પૂર્ણાનંદ સ્વરૂપમાં મગ્ન થઈ સુખાનુભવ કરો એમ કહે છે. -પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ
આશીર્વચન * પ્રભુ! તારા દ્રવ્યની મોટપની તો શી વાત કરવી ! પણ અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપ્યા ત્યાં હવે તને રાગનો આદર રહેશે નહીં, હવે તું અલ્પજ્ઞપણે રહી શકશે નહીં, હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ ને સર્વજ્ઞ થઈશ એમ તું નિઃસંદેહુ જાણ. અમે આ વાત કહીએ છીએ ત્યાં તું ભવિ-અભવિનો તો પ્રશ્ન જ રાખીશ નહીં પણ સિદ્ધ થતાં અનંતકાળ થશે એ પણ રાખીશ નહીં; જેમ સિદ્ધ થવાને સમકિત પછી અસંખ્ય સમય જ જોઈએ, અનંત સમય ન જોઈએ, તેમ અહીંયા તારામાં સિદ્ધોને સ્થાપીએ છીએ ત્યારે પ્રભુ! વિશ્વાસ કરજે. પ્રભુ ! અંદર વિશ્વાસ કરજે કે અમે આત્માની આવી વાત સાંભળવાને લાયક થયા ને પ્રભુએ અમારી યોગ્યતા દેખીને અનંતા સિદ્ધો સ્થાપ્યા છે. પ્રભુએ શ્રોતાઓને સાગમટે નોતરું આપ્યું છે. તમે બધા શ્રોતાઓ સિદ્ધ થવાને લાયક છો હો ! તેથી તમારામાં અમે સિદ્ધપણું સ્થાપીએ છીએ અને અમે એ વાત શરૂ કરીએ છીએ એટલે કે તમારે પણ ત્યાં સુધી સાંભળવા તૈયારી રાખવી પડશે. ૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com