Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
છે.
કરી રહેલાં જ
માનવજગત ભારતીય સંસ્કૃતિ પાસે વિશ્વશાન્તિની મોટામાં મોટી આશા રાખે છે.
“વિજ્ઞાન, સાહિત્ય અને રાજકારણ સાથે સાચા ધર્મને સાથ ન રહ્યો એથી એ બધાં અર્થસાધકને બદલે અનર્થ સાધક બની રહ્યાં.” રવીન્દ્રનાથ ઠાકુરની આ ફરિયાદ તથ્યપૂર્ણ છે. અને એથી જ ભારતીય સંસ્કૃતિમાંના કોઈ એકાદ ધર્મના અનુયાયીએ જગતનાં એકેએક ક્ષેત્રે ધર્મને પુટ લગાડવા માટેના ભગીરથ કાર્ય માં પહેલ કરવી પડશે.
સદ્ભાગ્યે આની પૂર્વભૂમિકા મહાત્મા ગાંધીજીએ રચી કાઢી છે. દુનિયાની બે જૂથમાં વહેચાયેલી અગાધ સત્તાઓને હૈયે અહિંસક કાતિના આગ્રહની ભૂખ ઉઘડી છે. આ લખાય છે તે પહેલાં એટમના પ્રાણઘાતક અખતરા પર આંશિક અંકુશ પર એમની સહીઓ થઈ ચૂકી છે. સામ્યવાદે હવે અહિંસક ક્રાન્તિ તરફ વળાંક લેવાનું શરૂ કરી દીધું છે. સંસ્થાનવાદી દેશે જાણે અજાણ્યે સંસ્થાનવાદ સ્વેચ્છાએ છોડવાની તૈયારી કરી રહેલાં જણાય છે. વિશ્વની માનવજાત રોટીબેટી વ્યવહારથી એક થવા લાગી છે. વિશ્વ સરકારનું સ્વપ્ન સાકાર બનવા લાગ્યું છે. સર્વધર્મસમન્વયની વ્યાસપીઠ રચાઈ રહી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તાણાવાણાની જેમ વણાયેલાં તો જે જગરોગાનમાં ખુલ્લાં મૂકાય તો ચમત્કાર સર્જાય તેમાં કશી નવાઈ નથી.
આજની દશા એવે ટાણે “સાધુસાધ્વી શિબિરમાં છણાયેલા “ભારતીય સંસ્કૃતિ વિષયનાં પ્રવચને અને ચર્ચાઓ આ પુસ્તકમાં પ્રગટ થાય છે તે અંગેની રસિક વાતે વાંચકોને આ પહેલાં જણાઈ ચૂકી છે. આ પુસ્તકમાં મૂળે આઠ અજોડ ગુણોનું વર્ણન છે. અલબત્ત આજના ભારતમાં ગાંધીજી ગયા બાદ ફરી પાછી રાખ વળી ગયેલી દેખાશે. છતાં એ રાખને ફૂંક મારીને દૂર કરી શકાય તેમ છે. આજથી જ કહેવાયું છે : “ મૂકાનેવાલા યા જગાને વાલા ચાહિયે” જગતને આજે જગાડનારાની જરૂર છે. હા; એ સાચું છે કે એ જગાડનારાએ
અનુબંધ વિચારધારા માં કહેવાયું છે તેમ; જગતભરની આજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સરકારનું
છે. ત્યારે ભારતી