________________
૭૪૪ ]
દર્શન અ, ચંતન गणधरा इन्द्रभूत्यादयः, तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः । ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदियेषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः ।
सामायिक समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तन यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सगः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यते तत् प्रत्याख्यानम् । एतैरध्ययनरावश्यकश्रुतस्कन्ध उक्तः।
-मनसुखभाई भगुभाई प्रकाशित श्रीयशोविजयजीकृत
तत्वार्थव्याख्या, पृ. ५० ઉપાધ્યાય શ્રી. યશવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નયાયિક અને આગમિક વિશે કોઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તે તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝયું નહિ. ઉપાધ્યાયજી વિશેષાવશ્યક ભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથના ઊંડા અભ્યાસી હતા અને વળી મલધારી શ્રી. હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી, તેથી જે તેઓને આવશ્યક અર્થ નિર્યુક્તિપરક કરવાનું ગ્ય લાગ્યું હોત તો તેઓશ્રી પિતાની તસ્વાર્થભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરન્તુ તેમ ન કરતાં જે સીધે અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી. સિદ્ધસેન ગણિની ટીકાના વિચારને પિષક છે એમ કબૂલ કરવું જ પડશે.
(૪) તત્ત્વાર્થભાષ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણેનું સંવાદી અને બલવત્ સ્પષ્ટ પ્રમાણુ એક ચોથું પણ છે, અને તે છે સેનપ્રશ્નનું. સેનપ્રશ્નના પૃ. ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લોગસ્સ સૂત્રને શ્રી. ભદ્રબાહુસ્વામીત કહ્યું છે; તે શું એ એક જ સૂત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકનાં બધાં સૂત્રો શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તે એ બધાં સૂત્ર ગણધરકૃત છે? આને ઉત્તર સેનપ્રશ્નમાં જે આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન આપવા જેવો છે. તેમાં કહ્યું છે કે “આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ કૃત ગણધરેએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહ્ય શ્રત શ્રતસ્થવિએ રચેલું છે, અને એ વાત વિચારામૃતસંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લોગસ્સસૂત્રની રચના શ્રી. ભદ્રબાહુસ્વામીની છે અને અન્ય આવશ્યકસની રચના નિર્યુક્તિરૂપે તે તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org