Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 18
________________ ગુણના કારણે એ વિચારો નાશ પામે છે. ઇર્ષ્યા ભાવ પણ દૂર થાય છે. આ રીતની મનોદશાના. પરિણામથી સમ્યક્રવર્તન યોગના કારણે જગતના જીવો પ્રત્યે અંતરમાં મૈત્રીભાવના પરિણામો પદા થતાં જાય છે એ મૈત્રી ભાવના પરિણામો કેવા પ્રકારના પેદા થાય એ જણાવે છે. સૌથી પહેલા જગતમાં રહેલા જે જે જીવોએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ જીવો સુખી રહે-દુ:ખી ન થાય એ રીતે સુખ ઇચ્છયા કરવું અને પોતાની શક્તિ મુજબ એ જીવોને સુખના પદાર્થો આપીને સુખી બનાવવા પ્રયત્ન કરવો તે. સૌથી પહેલા આપણા ઉપર ઉપકાર હોય તો જન્મ આપનાર માતા પિતાનો છે એ ન હોત તો આ મનુષ્ય જન્મમાં આપણે ન હોત માટે ઉપકારી તરીકે મારા માતા પિતા સુખી કેમ રહે એમને કેમ સુખ મલ્યા કરે એવી વિચારણા કરી સુખી બનાવવા પ્રયત્ન કર્યા કરવો અને સુખી જોવા એવી વિચારણામાં રહેવું તે મૈત્રી ભાવનામાં આવે. આજે તો. માતા પિતાને સુખી બનાવવા અને જોવાને બદલે પોતાની પત્ની અને દીકરા દીકરીઓ સુખી કેમ રહે એવી વિચારણા ચાલ્યા કરે છે. ઉપકારી એવા માતા પિતાની નિઃસ્વાર્થ ભાવે ભક્તિ (સેવા) (સુખી કરવા) કેવી રીતે કરવી જોઇએ એ જણાવે છે. રોજ ત્રિકાલ માતા પિતાને નમસ્કાર કરવા. સવારના ઉઠતાની સાથે માતા પિતાને નમસ્કાર કરવા. બપોરના ટાઇમે જ્યાં ગયા હોય ત્યાં ટાઇમ થાય ત્યારે માતા પિતાને યાદ કરીને નમસ્કાર કરવા અને સાંજના આવીને નમસ્કાર કરવા એ ત્રિકાલ નમસ્કાર કહેવાય છે. ઘરમાં માતા પિતાને બેસવાનું સ્થાન પોતાના સ્થાનથી કાંઇક એટલે જરા ઉંચું રાખવું એ આસન ઉપર બીજાથી બેસાય. નહિ. સમાન આસન રાખવાથી અથવા નીચું આસન રાખવાથી ભક્તિ થતી નથી એમના સુવાના સ્થાનમાં બેસાય નહિ પગ ન લાગે એની કાળજી રાખવી. એ જે વાસણમાં જમતાં હોય-પાણી પીતા હોય એનો ઉપયોગ એ રાખવાનો કે તે પોતાના જમવામાં કે પાણી પીવામાં ન આવી જાય એની કાળજી રાખવાની અને છેલ્લે એ કાળ કરી જાય પછી ઘરમાં એમનું સ્ટેચ્ય બનાવી મૂકીને રોજ નિકાલ નમસ્કાર કરવા આ રીતે ભક્તિ કરી સુખી કરવા એ મૈત્રી ભાવનું પહેલું લક્ષણ છે. એવી જ રીતે બીજે નંબરે જે શિક્ષક વગેરેએ આપણને જ્ઞાન આપ્યું હોય એ જ્ઞાન આપનાર ઉપકારીઓની. પણ એ રીતે ભક્તિ કરવી એટલે એ સુખી રહે અને સુખી કેમ બન્યા રહે. પોતાની શક્તિ મુજબ સુખી કરવા પ્રયત્ન કરવો એ પણ મૈત્રી ભાવનું પહેલું લક્ષણ કહેવાય છે. એવી જ રીતે જે જે જીવોએ આર્થિક દ્રષ્ટિએ આપણને આગળ વધારવામાં-દીકરા દીકરીઓને આગળ વધારવામાં એટલે સુખી બનાવવામાં સહાય કરી હોય એવા ઉપકારીઓ પણ દુઃખી ન થાય અને કેમ સુખી રહ્યા કરે- સુખી બન્યા રહે એવી વિચારણા કરી એ માટે શક્તિ મુજબ પ્રયત્ન કરવો એ પણ આંશિક મૈત્રી ભાવનું પહેલું લક્ષણ કહેલું છે. (૨) સ્વજન સુખ ચિંતા : જે પોતાના સ્નેહી સંબંધી સ્વજન ગણ (સમુદાય-મિત્ર વર્ગનો સમુદાય એ મિત્ર વર્ગના કુટુંબો કે સગપણથી જેટલા જેટલા સંબંધો થયેલા હોય જેમકે ભાઇઓ-ભાઇઓના કુટુંબો-બ્દનો-બ્દનોના કુટુંબો-જમાઇઓ-વેવાઇઓ-મામા-કાકા-ફોઇ વગેરે જે કુટુંબો સંબંધ રૂપે થયેલા હોય એ દરેક સંબંધીઓ સુખી રહે કોઇ દુઃખી ન થાય અને સુખમાં પોતાનો કાળ પસાર કરે એમાં કોઇ દુઃખી થાય તો સહાય કરીને સુખી બનાવવાની ઇચ્છા રાખી સુખી બનાવે. આમાં એ Page 18 of 197

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 197