Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ 30. સૂરપનત્તિ-૩-૩૪ છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે આ બને સૂર્યો સર્વબાહ્યમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂઢીપ નામના દ્વીપના બે ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. અર્થાતુ એક સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. તથા બીજો સૂર્ય બીજા એક પંચમાંશ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉષ્ઠા અઢાર મુહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે. અને જઘન્ય બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. પાહુડ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૪) [૩પ જેની સંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે? તે આપ કહો. એ ચેતતાના વિષયમાં બે પ્રકારની સ્થિતિ કહી છે. જે આ પ્રમાણે છે- ચંદ્ર સૂર્યની સંસ્થિતિ અને તાપક્ષેત્રની સંસ્થિતિ ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કેવા પ્રકારથી થાય છે? ભગવાનું કહે છે કે- હે ગૌતમ ! ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનોની સંસ્થિતિના સંબંધમાં વિચાર કરતાં આ વિક્ષ્યમાણ પ્રકારની સોળ સંખ્યક અન્ય મત રૂપ પ્રતિપત્તિયો છે. કોઈ એક પ્રથમ મતવાદી છે કે સમતુરસ્ત્ર સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. બીજો કોઈ એક કહે છે કે વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ ત્રીજો કહે છે કે સમતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક ચોથો મતવાદી વિષમ ચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક પાંચમો મતાવલમ્બી કહે છે કે સમચક્રવાલ સંસ્થિત ચન્દ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, છઠ્ઠો મતવાદી કહે છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. સાતમો તીથન્તરીય કહે છે કે-ચક્ર એટલે રથાંગ-રથનું પૈડું તેનો જે અર્ધો ભાગ ચક્રવાલના આકારનો તેના જેવું સંસ્થાન જેવું હોય તેવા પ્રકારની સંસ્થિતિવાળા ચંદ્ર સૂર્ય હોય છે, આઠમો મતવાદી કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ છત્રાકાર રૂપે હોય છે. નવમો કહે છે કે ચંદ્ર સૂર્યની સંસ્થિતિ ગેહાકારથી સંસ્થિત એટલે કે વાસ્તવિધિ વિધાનથી બનેલા ઘરના જેવા સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હોય છે. કોઈ એક એ પ્રમાણે કહે છે કે-પ્રાસાદ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, કોઇ એક બારમો તીર્થોત્તરીય ગોપુરાકારથી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે તેમ કહે છે. કોઈ એક મતવાદી કહે છે કે સૂર્ય ચંદ્રની સંસ્થિતિ પ્રેક્ષાગૃહની જેમ સંસ્થિત છે, કોઈ એક ચંદ્ર સૂર્યની સંસ્થિતિ વલભી જેવી કહે છે. કોઈ એક કહે છે કે હર્પીતલના જેવી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, કઈ એક એવું કહે છે કે વાલાઝ પોતિકાના જેવા સંસ્થાનથી યુક્ત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. તેઓમાં જે એમ કહે છે ફે-ચંદ્ર સૂર્યની સ્થિતિ સમચતુરસ્ત્રાકારથી સંસ્થિત કહેલ છે. આ પહેલા અન્ય મતવાદીનું કથન છે. આ નયથી જાણવું બીજાથી નહીં. ભગવાનનું તાપક્ષેત્રના સંબંધમાં અન્યતીથિકોના મતાન્તરો રૂપ પ્રતિપત્તિયોને બતાવતાં કહે છે- તાપક્ષેત્ર સંસ્થિતિના સંબંધમાં આ વક્ષ્યમાણ સોળ પ્રતિપત્તિયો કહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102