Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ સૂરપનત્તિ-૧૦૨૪૩-૪૪ (પાહુડપાહુડ-૨) 4i3-4] હે ભગવાનું કઈ રીતે પ્રત્યેક નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે? ભગવાનું કહે છે કે આ પહેલા પ્રતિપાદન કરેલ અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ પર્યન્ત યાવતુ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, આ પરિણિત અઠ્યાવીસ નક્ષત્રોમાં કયા નક્ષત્રો એવા હોય છે કે જેઓ નવ મુહૂર્ત અને એક મુહૂર્તનો સત્યાવીસ સડસઠિયા ભાગ યાવતુ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા અઠ્યાવીસ નક્ષત્રોમાં કયા નક્ષત્રો એવા છે જે પોતાના ભોગકાળમાં કેવળ 15 મુહૂર્ત યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે? તેના ઉત્તરમાં કહે છે આ પરિગણિત અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્રો સ્વભોગકાળમાં નવ મુહૂર્ત અને એક મુહૂર્તનો સડસઠિયા સત્યાવીસ ભાગ યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે, એવું એક અભિજીત નક્ષત્ર છે, એ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્રો પંદર મુહૂર્ત પર્યન્ત સાથે યોગ કરે છે, એવા છ નક્ષત્રો છે.શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતી અને જ્યેષ્ઠા આ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો પંદર છે. શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી અશ્વિની, કૃતિકા, મૃગશિ રાપુષ્ય, મધા, પૂર્વફાલ્ગની, હસ્ત, ચિત્રા અનુરાધા, મૂળ પૂર્વષાઢા, એ અઠ્યાવીસ નક્ષત્રમાં જે નક્ષત્ર એવા છે કે જે પોતાના ભોગ કાળમાં ચંદ્રની સાથે પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત યાવત યોગ પ્રાપ્ત કરે છે, એ નક્ષત્રો છ છે, ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, અને ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્યની સાથેનો યોગ સાંભળો અઠ્યાવીસ નક્ષત્રો હોય છે કે જે પોતાના ભોગ કાળમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે જે પોતાના ભોગ કાળમાં છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા એવા પણ નક્ષત્રો હોય છે જે નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત પર્વત સૂર્યની સાથે યોગ કરે છે. તથા એવા પણ નક્ષત્ર હોય છે જેઓ પોતાના સંચરણ સમયમાં વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યુતિ કરે છે. એવું એક અભિજીત નક્ષત્ર છે. જે નક્ષત્ર પોતાના ભોગકાળમાં સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી યોગ કરે છે, એવા પંદર નક્ષત્રો હોય છે. શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્ર પદા, રેવતી અશ્વિની કૃત્તિકા, મૃગશિરા પુષ્ય મધા પૂર્વકાલ્ગની હસ્ત ચિત્રા અનુરાધા મૂલ અને પૂવષિાઢા શ્રવણાદિ પંદર નક્ષત્રો સ્વ ભોગકાળમાં સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી યોગ કરે છે. જે નક્ષત્ર વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત યાવતું પોતાના ભ્રમણ કાળમાં સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે, એવા છ નક્ષત્રો હોય છે. ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા, પાહુડ-૧૦રની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુડપાહુડ-૩) [5] હે ભગવન અહોરાત્ર ભાગ સંબંધી નક્ષત્રો કહેલા છે? તે કહો અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, કે જે દિવસના પૂર્વ ભાગમાં રહેલા ચંદ્ર યોગના આદિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102