________________ પાહુડ-૨૦ 5 છોડી દે છે. અથવા ડાબા પાર્થથી પકડીને જમણા પાર્થથી છોડે છે. અથવા જમણા ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી છોડે છે. અથવા કોઈવાર જમણા ભાગથી પ્રહણ કરીને જમણા ભાગથીજ છોડી દે છે. એ મતાંતરવાદિયોમાં જે એમ કહે છે કે રાહુ નામના કોઈ દેવ નથી. કે જે સમયે સમયે ચંદ્રને કે સૂર્યનિ ગ્રસિત કરે છે. તેનો કહેવાનો ભાવ આ પ્રમાણે છે. આ ગ્રતમાં આ કથ્યમાન પ્રકારના પંદર કાળાં વર્ણવાળા પરમાણુ સમૂહ કહેલા છે. સિંહનાદ જટિલ ક્ષર ક્ષત અંજન ખંજન શીતલ હિમ શીતલ કૈલાસ અરૂણાભ પરિજય નભસૂર્ય કપિલ પિંગલ રાહુ કૃષ્ણપક્ષની આ પૂર્વ કથિત પંદર ભેદોવાળા કૃષ્ણવર્ણના પરમાણુ સમૂહ હમેશાં ચંદ્રના કે સૂર્યના બિંબગત પ્રભાનું આરાધન કરનારા હોય છે. ત્યારે મનુષ્યલોકમાં ચર્મચક્ષુવાળા મનુષ્યો ચર્મચક્ષુથી જોઈને આ પ્રમાણે કહે છે કે-રાહુજ ચંદ્ર સૂર્યને ગ્રસિત કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા પુદ્ગલો સદાકાળ ચંદ્ર કે સૂર્યની વેશ્યાનુબંધ અથતુ ચંદ્ર સૂર્યના બિંબની પ્રભાનું અનુચરણ નથી કરતા ત્યારે મનુષ્યલોકના મનુષ્યો આ પ્રમાણે કહેતા નથી. કે-રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અથતુ સમગ્ર બિંબને પુલોથી આચ્છાદિત જોઈને રાહુ ગ્રસિત ચંદ્ર સૂર્યને ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ એ રીતે લોકો કહે છે પરંતુ એક દેશમાં વ્યાપ્ત થયેલ લેણ્યાનુબંધના કારણથી કૃષ્ણ થવા છતા ગ્રહણ કહેતા નથી. પૂર્વકથિત નિયમ રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. આ પ્રમાણેના લૌકિક મતની પ્રતિપત્તિમાં વિકાસ કરવો પણ પૂર્વકથિત પરતીર્થિકના અભિપ્રાયમાં વિશ્વાસ કરવો નહીં પૂર્વ કહેલ અભિપ્રાયથી સંબંધિત પોતાના મતનું સમર્થન કરે છે. એ પ્રમાણે પરતીથિકોના અભિપ્રાયનું સારી રીતે કથન કરીને હવે શ્રીભગવાનું કહે છે. રાહુ દેવ નથી. એમ નથી. પરંતુ તે રાહુદેવ મહાદ્ધિવાળો અત્યંત સમૃદ્ધિશાળી, મહાદ્યુતિવાળો મહાબળવાળો, મહાયશવાળો અને સર્વ પ્રકારથી ઉપભોગ્ય સુખસામગ્રીવાળો હોવાથી મહાસૌખ્યસંપન મહાપ્રભાવશાલી, ઉત્તમ વસ્ત્રો ધારણ કરવાવાળો અનેક પ્રકારના મહા મુલ્યવાનું રત્નખચિત આભરણોને ધારણ કરવાવાળો ઉત્તમ પુષ્પમાળાઓને ધારણ કરવાવાળો અનેક સામન્તાદિ પરિવારથી યુક્ત દિવ્યભોગોપ ભોગોને ભોગવવાવાળો દેવ વિશેષ રાહુ પોતાના વિમાનથી નિશ્ચિતપણાથી ભ્રમણ કરવાવાળો વિશેષ પ્રકારનો દેવ છે. તથા બીજું પણ કહે છે- રાહુ દેવના નવનામો છે. જે આ પ્રમાણે છે. સિંહનાદ જટિલ ખરક ક્ષેત્રક ધદ્વર મકર મત્સ્ય કચ્છપ કણસર્પ રાહુ દેવના પાંચ વિમાન પાંચ વર્ણન કહેલા છે. રાહુ વિમાનના પાંચ વર્ષના પ્રતિપાદનથી વિમાનોની સંખ્યા પણ પાંચજ હોય છે. તેના વર્ણ આ પ્રમાણે છે. કૃષ્ણ નીલ લોહિત. હારિદ્ર તથા શુકલ પૂર્વોક્ત રાહુવિમાનના. વર્ણવનના સંબંધમાં પાયાન્તરથી કહે છે. જે કૃષ્ણ વર્ણવાળું પહેલું રાહુવિમાન કહ્યું છે તે કૃષ્ણ એટલેકે ખંજનના જેવા વર્ણવાળું હોય છે, બીજું જે નીલવવાનું વિમાન કહ્યું છે તે લીલા તુંબડાના વર્ણના જેવા વર્ણનું કહ્યું છે. લાલ વર્ણવાળું ત્રીજું વિમાન કહ્યું છે તે મજીઠના વર્ણના જેવું લાલ વર્ણનું હોય છે. હરિદ્ર વર્ણનું વિમાને કહ્યું છે, તે હલદરના જેવા વર્ષનું હોય છે. સફેદ વર્ણનું વિમાન કહ્યું છે તે તેજના પુંજ જેવું હોય છે. જે કોઈ સમયમાં દેવરૂપ રાહુ કોઈ સ્થાનથી આવતાં કે કોઈ સ્થાનમાં જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયાઓ કરતી વખતે તથા પરિભ્રમણની દ્રષ્ટિથી આમ તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org