Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૩ 231 પ્રશ્ન સૌથી થોડા જીવો અભાવસિદ્ધિક છે, તેથી નોભવસિદ્ધિક-નોઅભિદ્ધિક જીવો અનંતગુણા છે, તેથી ભવસિદ્ધિક જીવો અનંતગુણા છે. [23] હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવા સ્તિકાય. પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં દૂધ્યાર્થરુપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય એ ત્રણે દૂધ્યાર્થરૂપે તુલ્ય છે અને સૌથી થોડા છે, તેથી જીવાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનંત ગુણ છે, તેથી પુલાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણા છે, તેથી અદ્ધાસમય દ્રવ્યકર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ તિકાય, જીવાસ્તિકાય, પુદુગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં પ્રદેશાર્થરૂપે નો પ્રશ્ન. હે ગૌતમ ! ધમસ્તિકાય અને અધમસ્તિકાય એ બન્ને પ્રદેશાર્થરૂપે સરખા છે અને સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશરૂપે અનન્ત ગુણા છે, તેથી અદ્ધાસમયો પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! એ ધમસ્તિકામાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ધમસ્તિકાય દ્રવ્યરૂપે એક છે અને પ્રદેશરૂપે અસંખ્યાત ગુણ છે. હે ભગવન્! એ અધમસ્તિકામાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા અધમસ્તિકાય દ્રવ્યરૂપે એક છે, અને પ્રદેશરૂપે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ આકાશાતિ કાયમાં દ્રવ્યરુપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન ગૌતમ દ્રવ્યરૂપે આકાશાસ્તિકાય એક છે અને સૌથી અલ્પ છે, અને તે પ્રદેશરૂપે અનન્તગુણ છે.હે ભગવનુએ જીવાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશ રૂપે પ્રસ્ત હે ગૌતમ ! સૌથી થોડા જીવાસ્તિ કાય દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ પુદ્ગલાસ્તિકાયમાં દ્રવ્ય રૂપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા પુદ્ગલા તિકાય દ્રવ્યરૂપે છે અને તે પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. અદ્ધાસમય સંબંધે પ્રશ્ન થતો નથી, કારણ કે તેને પ્રદેશો નથી. હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમતિ કાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને અાસમયોમાં દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે પ્રદેશાર્થરૂપે કોણ કોના થી અલ્પ, બહુ તુલ્ય, કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યોર્થરૂપે પરસ્પર તુલ્ય છે અને સૌથી થોડા છે. અને તેથી ધમસ્તિકાય અને અધમસ્તિકાય એ બન્ને પ્રદેશરૂપે તુલ્ય છે અને અસંખ્યાતગુણ છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણ છે અને તેથી પ્રદેશરૂપે તે અસંખ્યાતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે. તેથી તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણા છે. તેથી અદ્ધાસમય દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશરૂપે અનન્તગુણ છે. [284] હે ભગવન્! એ ચરમ અને અચરમ જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા અચરમ જીવો છે, અને તેથી ચરમજીવો અનન્તગુણા છે. 285 હે ભગવન્! એ જીવો, પુદ્ગલો, અદ્ધાસમયો, સર્વદ્રવ્યો, સર્વપ્રદેશો, અને સર્વ પર્યાયોમાં સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા જીવો છે, તેથી પુદગલો અનન્ત. ગુણા છે, તેથી અદ્ધાસમયો અનન્તગુણ છે, તેથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, તેથી તેથી સર્વ પ્રદેશ અનન્તગુણ છે અને તેથી સર્વ પયયો અનન્તગુણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org