Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૦ 287 અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એ પ્રમાણે વાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અનન્ત પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત પ્રદેશ માં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય ? હે ગૌતમ! કદાચિત સંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, કદાચિત અસંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, પરંતુ અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એમ યાવતુ આયત સંસ્થાન સુધી ાણવું. હે ભગવનું ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાત પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, અચરમ છે, બ.વ. ચરમ છે, બ.વ. અચરમ છે, ચરમાત્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાતા પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન ચરમ નથી, અચરમ નથી, બ.વ. ચરમરૂપ નથી, બ.વ. અચરમરૂપ નથી, અરમાન્તપ્રદેશરૂપ નથી, અને અચર માન્તપ્રદેશરૂપ નથી, પણ અવશ્ય એ.વ. અચરમ, બ.વ. ચરમરૂપ, ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશાવગાઢ અને અસંખ્યાતપ્રદેશવાળ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! સંખ્યાતાપ્રદેશવગાઢ અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતપ્રદેશવાળાની પેઠે જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતપ્રદેશવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે- ઈત્યાદિ પ્રશ્ન હેગૌતમ ! અસંખ્યાતપ્રદેશાવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ચરમ નથી-ઇત્યાદિ સંખ્યાતપ્રદેશાવગાઢની પેઠે જાણવું. એમ યાવતુ આયત સુધી સમજવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! ઉપર કહ્યા પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. અસંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાને રહેલા પરિમંડલ સંસ્થાનની પેઠે જાણવું. એ પ્રમાણે વાવતું આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવનું ! સંખ્યાના પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમ ખંડ, ચરમ ખંડો,અરમાન્ત પ્રદેશો અને અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થ પણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ. બહુ તુલ્ય, કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલ સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાના પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશો સૌથી થોડા છે. તેથી અચર માન્તપ્રદેશો સંખ્યા ગણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે, દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે સંખ્યાત પ્રદેશમાં રહેલા સંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બને મળીને વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાન્ત પ્રદેશો સંખ્યાતગુણ છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરઅ, અને આયત સંસ્થાનને વિષે પણ યોજના કરવી. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશ માં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org