Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 222
________________ પદ-૨૮, ઉદેસા-૨ 35 ત્રણ ભાંગા જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. પિ૬૯] વેદસહિત જીવન વિશે અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા, સ્ત્રીવેદ અને પુરુષ વેદમાં જીવાદિ સંબધે ત્રણ ભાંગા અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. વેદરહિત જીવ કેવલજ્ઞાનીની પેઠે જાણવો. પ૭૦] સશરીરીજીવને એકેન્દ્રિય સિવાય ત્રણભાંગા કહેવા. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભાંગા સમજવા. બાકીના જીવો જેઓને ઔદારિક શરીર છે તેઓ આહારક હોય છે, અનાહારક હોતા નથી. વૈક્રિયશરીરી અને આહારક શરીરી જેઓને વૈક્રિય અને આહારક શરીર છે તેઓ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. તૈજસકામણ શરીરવાળાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અશરીરી-જીવો અને અને સિદ્ધો આહારક નથી પણ અનાહારક છે. પિ૭૧] આહાર પયામિ, શરીર પથમિ. ઈન્દ્રિય પતિ, શ્વાસોચ્છુવાસ પર્યાપ્તિ અને ભાષા મન પયક્તિ એ પાંચે પયક્તિઓમાં જીવ અને મનુષ્ય પદને આશ્રયી ત્રણ ભાંગા જાણવા. બાકીના જીવો આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. ભાષા અને મનપતિ પંચેન્દ્રિયોને હોય છે. બીજાને નથી. આહારપતિ વડે અપર્યાપ્તો એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહારક નથી, પણ શરીરપથમિ વડે અપયત કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. ઉપરની ચારે અપયપ્તિ ઓમાં નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગી હોય છે. બાકીના પદોમાં જીવ અને એક ન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. ભાષા મનપતિ વડે પર્યાપ્ત જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભાંગા, નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા કહેવા. સર્વ પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ જીવાદિ દેડકો પ્રશ્ન વડે કહેવા. જેને જે હોય છે તેને તેનો પ્રશ્ન કરવો. જેને જે નથી, તેનો પ્રશ્ન ન કરવો. યાવતું ભાષા મનપતિ વડે અપર્યાપ્ત દેવ અને મનુષ્યોમાં છ ભાંગા અને બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. પદ-૨૮ ઉદેશ -૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પદ-૨૯ઉપયોગ) [પ૭૨] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન્! સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! આઠ પ્રકારનો. આભિનિબૌધિકજ્ઞાન સાકારોપયોગ, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ. હે ભગવન્! અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! ચાર પ્રકારનો. ચક્ષુદર્શન અનાકાર ઉપયોગ, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન. એ પ્રમાણે જીવોને કહેવું. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે?હે ગૌતમ બે પ્રકારનો. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવનું ! નૈરયિકોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! છ પ્રકારનો. મતિજ્ઞાન સાકારોપયોગ. શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. હે ભગવન્! નરયિકોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. ચક્ષુદર્શન અનાકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244