Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 232
________________ પદ-૩૫ ૪૦પ અને જે અમાથી સમ્યગ્રુષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ નિદા વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પદ-૩પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૬-સમુદ્યાત) [59] વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી સમુદ્યાત એ સાત સમુદ્યાતો જીવ અને મનુષ્યોને હોય છે. દિ00] હે ભગવન્! કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! સાત. વેદના સમુદ્રઘાત, કષાય સમુદ્યાત. મારણાંતિક સમુઘાત, વૈક્રિય સમુઘાત, તૈજસ સમુદ્યાત, આહારક સમુદ્ધાત, અને કવલી સમુઘાત. હે ભગવન્! વેદના સમુદ્રઘાત કેટલા સમયનો છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયપ્રમાણ અન્તર્મુહૂર્તનો છે, એ પ્રમાણે આહારક સમુઘાત સુધી જાણવું. હે ભગવન્! કેવલી સમુદ્રઘાત કેટલા સમયનો છે? હે ગૌતમ ! આઠ સમયનો છે. હે ભગવન્નૈરયિકોને કેટલા સમુદ્દઘાતો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર વેદના સમુઘાત કષાય સમુઘાત, મારણાંતિક સમુદ્દાત અને વૈક્રિય સમુદુઘાત. હે ભગવન્! અસુરકુમારોને કેટલા સમુદ્યાતો કહ્યા છે ? હે ગૌતમ! પાંચ. વેદના સમુદ્યાત, કષાયસમુદ્ધાત, મારણાંતિકસમુઘાત, વૈક્રિયસમુદુધાત, અને તૈસસમુદ્દઘાત. એ પ્રમાણે અનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિવી કાયિકોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ. વેદનાસમુદ્દઘાત, કષાય- સમુદ્રઘાત અને મારણાંતિકસમુદ્યાત. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયુ કાયિકોને ચાર સમુદ્દઘાતો હોય છે. વેદનાસમુદ્દઘાત, કષાયસમુદ્યાત, મારણાંતિકસમુદ્યાત અને વૈક્રિયસમુદ્દઘાત. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો યાવતુ વૈમાનિકોને કેટલા સમુદ્રઘાતો કહ્યા છે ? હે ગૌતમ! પાંચ, વેદના, કષાય મારણાંતિક, વૈક્રિય અને તેજસસમુદ્દઘાત. પરન્તુ મનુષ્યોને સાત સમુદૂઘાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલિસમુદ્યાત. 601 હે ભગવન્! એક એક નારકને કેટલા વેદના સમુદ્રઘાતો અતીત-પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્તા પૂર્વે થયેલા છે. કેટલા પુરસ્કૃત-ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! કોઇને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારને પણ યાવત્ નિરંતર વૈમાનિક દેડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્દઘાત સુધી જાણવું. એ પ્રમાણે પાંચ સમુદ્દઘાતો ચોવીશ દંડકે કહેવા. હે ભગવન્! એક એક નૈયિકને આહારક સમુદ્ધાતો કેટલા પૂર્વે થયેલા છે ? કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક અને બે તથા ઉત્કર્ષથી ત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે અને ત્રણ, અને ઉત્કર્ષથી ચાર હોય છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યને પૂર્વે થયેલા અને ભવિષ્ય કાળ થવાના નૈરિયકને ભવિષ્ય કાળે જે થવાના છે તેની પેઠે કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને કેવલિ સમુદ્ધાતો. કેટલા પૂર્વે થયેલા છે? હે ગૌતમ! પૂર્વે થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? કોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244