Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 239
________________ પન્નu - 3 - 12 કાઢેલા તે પુદ્ગલો હોય તે ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે, ફેરવે, કાંઈક સ્પર્શ કરે, એકઠા કરે, વિશેષ એકઠા કરે, પીડા ઉત્પન્ન કરે, મૂર્ષિત કરે અને જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રયી તે પુદ્ગલોથી વેદના સમુદુધાતવાળો તે જીવ કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચ ચાર કિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો વેદના સમુદ્રઘાતવાળા તે જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચારક્રિયાવાળા અને કદાચ પાંચક્રિયવાળા હોય. હે ભગવન તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી કિયાવાળા હોય ? હે ગૌતમ ! ત્રણક્રિયાવાળા પણ હોય, ચારક્રિયાવાળા પણ હોય અને પાંચક્રિયાવાળા પણ હોય. હે ભગવન્! વેદનાસમુદ્રઘાત વડે સમુદ્યાતવાળો નૈરયિક-ઇત્યાદિ જેમ જીવ સંબધે કહ્યું છે તેમ કહેવું. પરન્તુ નૈરયિક સંબન્ધ પાઠ કહેવો. એ પ્રમાણે બધું વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુદ્યાત સંબધે પણ કહેવું. હે ભગવન્! જીવ મારણાનિક સમુઘાત કરે છે અને સમુદુઘાત કરીને જે પુગલોને બહાર કાઢે છે, હે ભગવન્! તે યુગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કર્ષથી એક દિશામાં અસંખ્યાતા યોજન સુધી એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. એ ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય, કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ ! એક સમયની, બે સમયની, ત્રણસમયની અને ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું “યાવતુ પાંચ ક્રિયાવાળા હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નૈરયિક પણ જાણવો. પરન્તુ લંબાઈમાં જઘન્યથી કાંઈક અધિક હજાર યોજન અને ઉત્કર્ષથી અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. અને તે એક સમયની, બે સમયની અને ત્રણ. સમયની વિગ્રહગતિ વડે કહેવું. પરન્તુ ચાર સમયની વિગ્રહગતિ વડે ન કહેવું. બાકી બધું વાવત પાંચ ક્રિયાવળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું, અસુરકુમારને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્તુ નૈરયિકની પેઠે વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું નાગકુમારાદિને કહેવું. બાકી બધું જેમ અસુરકુમાર સંબધે કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયને જીવની પેઠે બધું કહેવું. [13] હે ભગવન્! વૈકિય સમુદ્યાત વડે સમુદ્યાતવાળો જીવ વૈક્રિય સમુદુઘાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે, તે મુદ્દગલો વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી સંખ્યાતા યોજના પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય. અથવા એટલું ક્ષેત્રસ્પર્શેલું હોય. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય? કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું “યાવતુ પાંચ કિયાવાળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નરયિક સંબન્ધ કહેવું. પરન્તુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244