Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ૩પ૬ પુનવણા - 21-13 [પ૧૩-૫૧૪ હજાર યોજન, છ ગાઉ અને હજાર યોજન (ગર્ભજ જલચર, ચતુષ્પદ અને ઉરપરિસર્પની) જાણવી. ભુજપરિસર્પની ગાઉથત્ત્વ અને પક્ષીઓની ધનધ્યપ્રથર્વ અવગાહના હોય છે. અને સંમૂર્ણિમ (જલચરો, ચતુષ્પદ સ્થલચરો અને ઉરપરિસ) ઉંચાઇમાં હજાર યોજન, ગાઉપૃથક્ત અને યોજન પૃથક્ત હોય છે. સંમૂર્ણિમ (ભુજપરિસર્પ અને પક્ષીઓ) બન્નેનું ધનુષપૃથક્ત પ્રમાણ છે. ( [૧૫હે ભગવન્! મનુષ્ય ઔદારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે? હે ગૌતમ ! જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ હોય છે. એ પ્રમાણે અપયક્તિાઓની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. સંમૂર્ણિમાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ગર્ભજ અને પર્યાપ્તાઓની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. પિ૧૬] હે ભગવન્! વૈક્રિય શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિયવૈક્રિય શરીર. જો એકેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અવાયુકાયિક-એકેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિય ક્રિય શરીર છે, પણ અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી. જો વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી, પણ બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે. જે બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત બાદર : વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અપર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે ? હે ગૌતમ ! પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે, પણ અપ યતા બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી. જો પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે કે યવ દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ! તેમજ છે. જો નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું રત્નપ્રભાથિવી નૈરયિક પંચે દ્રિય વૈક્રિય શરીર છે કે યાવતું નીચેની સાતમી નરક પૃથિવીનૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ! તેમજ છે. જો રત્નપ્રભા પૃથિવીના નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત રત્નપ્રભા નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અપર્યાપ્તા રત્નપ્રભા નૈરયિક પંચેન્દ્રિય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ ! તેમજ છે. એ પ્રમાણે યાવતુ નીચેની સાતમી નરક પૃથિવી સુધી બન્ને પ્રકારનો ભેદ કહેવો. જે તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય કે ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય, પણ ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય તો શું સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અસંખ્યાતા વરસના આયુષવાળા. ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈકિય શરીર હોય પણ અસંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org