Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 360 પનવા - 21-118 એ પ્રમાણે વાવતુ સ્વનિત કુમાર સુધી જાણવું. એમ સામાન્ય વ્યત્તર, જ્યોતિષિકો અને સૌધર્મ-ઇશાન દેવોને જણવું. એમ યાવતુ અશ્રુત દેવલોક સુધી ઉત્તર વૈક્રિય સમજવું. પરન્તુ સનત્યુ મારને ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ છ હાથ પ્રમાણ હોય છે. એમ માહેન્દ્ર દેવલોકને વિષે પણ સમજવું. બ્રહ્મલોક અને લાત્તકને વિશે પાંચ હાથ, મહાશુક્ર અને સહસ્ત્રારને વિશે ચાર હાથ, આનત, પ્રાણત, આરણ અને અશ્રુતમાં ત્રણ હાથ પ્રમાણ જાણવી. રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીરાવગાહના કહી છે, અને તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ બે હાથ પ્રમાણ હોય છે. એ પ્રમાણે અનુત્તરૌપપાતિક દેવોને પણ જાણવું. પરન્તુ તેઓનું વૈક્રિય શરીર એક હાથ પ્રમાણ છે. પ૧૯] હે ભગવન્! આહારક શરીર કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! એક આકારવાળું કહ્યું છે. જો એક આકારવાળું છે તો શું મનુષ્ય આહારક શરીર છે કે અમનુષ્ય આહારક શરીર છે? હે ગૌતમ ! મનુષ્ય આહારક શરીર છે પણ અમનુષ્ય આહારક શરીર નથી. જો મનુષ્ય આહારક શરીર છે તો શું સંમૂર્ણિમ મનુષ્યહારક શરીર હોય કે ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય? હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે. જો ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અન્ત દ્વપના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! ફક્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય સંબન્ધી આહારક શરીર છે તો શું સંખ્યાત વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અસંખ્યાત વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! માત્ર સંખ્યાત વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, જે સંખ્યાના વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય તો શું પMિા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અપયક્તિા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! માત્ર પર્યાપ્તા સંખ્યાતા વરસના. આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, જે પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ કે સસ્પેશ્મિધ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસ ના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહા રક શરીર હોય, પણ મિથ્યાદષ્ટિ પ્રયતા અને સમ્માશ્મિટ્યાદ િપયતા સંખ્યાતા વરસ ના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય. જો સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારફ શરીર છે તો શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે સંયતાસંયત સમ્યગ્દષ્ટિ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org