Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 366 પન્નવણા - 22-28 એમ આઠે કર્મ પ્રવૃતિઓ કહેવી, એમ એકવચન અને બહુવચનના સોળ દેડકો થાય છે. હે ભગવન્! જીવ જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્! જીવ નૈરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદ્યચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ, બેઈન્દ્રિય તેઇન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને આશ્રયી જેમ જીવને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જીવ જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્! જીવ નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળો, કદાચ પાંચ કિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન ! જીવ નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય - એ પ્રમાણે જેમ પહેલો દેડક કહ્યો તેમ આ બીજો દંડક કહેવો. હે ભગવન્! જીવો એક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, યાવત્ કદાચ ક્રિયારહિત પણ હોય. હે ભગવનુ જીવો એક નૈરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! જેમ પ્રથમ દંડક કહ્યો તેમ યાવતુ વૈમાનિકો સુધી કહેવો. હે ભગવન્! જીવો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કૉંચ ત્રણ ક્રિયા કિયાવાળા પણ હોય, યાવતું કદાચિતુ. ક્રિયારહિત પણ હોય. હે ભગવન! જીવો નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ કદાચ ત્રણ કિયાવાળા, યાવતુ કદાચ કિયારહિત હોય. અસુરકુમારોને આશ્રયી પણ એમ જ સમજવું. જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ ઔદારિકશરીરોને આશ્રયી કહેવું. હે ભગવન્! નૈરયિક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચિત ત્રણક્રિયાવાળો અને કદાચ ચારક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! નૈરયિક નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચિત ત્રણક્રિયા વાળો અને કદાચ ચારક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયો સમજવું. પરન્તુ નિરયિકને નૈરયિકોને અને દેવોને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન્! મૈરયિકો જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણક્રિયા વાળા, યાવતુ પાંચક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને આશ્રયી જાણવું, પરન્તુ નૈરયિક અને દેવને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન! નૈરયિકો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા અને ચાર ક્રિયાવાળા હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી જાણવું. પરન્ત ઔદારિક શરીરોને આશ્રયી જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! અસુરકુમાર જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! જેમ નૈરયિકને ચાર દડકો કહ્યા તેમ અસુરકુમારને પણ ચાર દંડકો કહેવા. એમ ઉપયોગ રાખીને વિચાર કરવો. જીવ અને મનુષ્ય ક્રિયારહિત કહેવાય છે. અને બાકીના ક્રિયાર હિત કહેવાતા નથી. બધા ઔદારિક શરીરોને આશ્રયી પાંચક્રિયાવાળા હોય છે. અને નૈરયિકો અને દેવોને આશ્રયી પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org