Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 198
________________ પદ-૨૨ 371 ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય, યાવતુ અપ્રત્યાખ્યાન ક્રિયા પણ હોય પણ હોય. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ન હોય. એમ યાવતું સ્વનિતકુમારને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનલ્યની વિરતિવાળા પંચેન્દ્રિય તિર્યંચને એમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! આરંભિક ક્રિયા હોય. માયાપ્રત્યાયિકી ક્રિયા હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા ન હોય. મનુષ્યને જીવને પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની જેમ કહેવું. હે ભગવન્! એ આરંભિક ક્રિયા. યાવતું મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓ હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેથી પારિગ્રહી કી ક્રિયાઓ વિશેષાધિક છે, તેથી આરંભિક ક્રિયાઓ વિશેષાધિક છે અને તેથી માયાપ્રત્યયિકી ક્રિયાઓ વિશેષાધિક છે. પદ-૨૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૩-કર્મપ્રકૃતિ) -ઉસો-૧ - [પ૩૪ કેટલી કમપ્રકૃતિઓ છે? જીવ કેવી રીતે બાંધે છે? કેટલા સ્થાને બાંધે છે? કેટલી પ્રકૃતિઓ વેદે છે? ક્યાં કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ છે? પ૩પ) હે ભગવન્! કેટલી કર્મપ્રકતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર, અને અંતરાય. હે ભગવન્! મૈરયિકોને કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું. [36] હે ભગવન્! જીવ કેવી રીતે આઠ કર્મપ્રવૃતિઓ બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે. દર્શનમોહનીય કર્મના ઉદયથી. મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્! નૈરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? હે ગૌતમ! એમજ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો આઠ કર્મપ્રવૃતિઓ કેમ બાંધે? એમજ બાંધે છે. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. પિ૩] હે ભગવન્! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી રાગ બે પ્રકારનો છે.માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે, ક્રોધ અને માન. જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નૈરયિક યાવતુ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવનું ! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાનકોએ બાંધેઈત્યાદિ એમજ જાણવું. એ પ્રમાણે નરયિકો યાવત વૈમાનિકો જાણવા. એમ દર્શનવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુ વચતનના સોળ દડકો જાણવા. પ૩૮ હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ ! કદાચ વેદે અને કદાચ ને વેદ. હે ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ! અવશ્ય વેદે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન્! જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244