Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ હર પનવસા-૨૩/૧પ૩૮ જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ! એ પ્રમાણે “વેદે એમ સમજવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર કર્મ પણ એમજ સમજવું. પરતુ પણ તેને અવશ્ય વેદે. એ રીતે એક વચન અને બહુ વચનના સોળ દડક જાણવા. [39] જીવે બાંધેલા, સ્પષ્ટ-ગાઢ સ્પર્શ વડે સ્પર્શેલા, સંચિત, ઉપચિત થયેલા. થોડા વિપાકને પ્રાપ્ત થયેલા, વિશિષ્ટ પ્રાપ્ત થયેલા, ઉદયને પ્રાપ્ત થયેલા, જીવે કરેલા, જીવે નિવર્તિત-સામાન્યરૂપે કરે, જીવે પરિણાવેલા, સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલા, પરના નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા, સ્વ અને પર નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીય કર્મનો ગતિને પામાં, સ્થિતિને પામી, ભવને પામી, પુદ્ગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવતુ પુદ્રગલપરિણામને પામી દશ પ્રકારનો અનુભવ-વિપાક કહ્યો છે. તે શ્રોત્રેન્દ્રિયાવરણ, શ્રોત્રેન્દ્રિયવિજ્ઞાનાવરણ, નેત્રક્રિયાવરણ, નેન્દ્રિયવિજ્ઞાનાવરણ, ધ્રાણેન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિવિજ્ઞાના વરણ, રસાવરણ, રસનેન્દ્રિયવિજ્ઞાનાવરણ, સ્પશરવણ અને સ્પર્શેન્દ્રિય વિજ્ઞાનાવરણ. જે પગલોને પગલપરિણામને અને વિસા-સ્વભાવ વડે પુગલોના પરિણામને વદે છે, તેઓના ઉદય વડે જાણતો નથી, જાણવાની ઈચ્છાવાળો છતાં પણ જાણતો નથી. જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી. આચ્છાદિતજ્ઞાનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે, હે ગૌતમ ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવતું પુદ્ગલપરિણામને પામી દશ પ્રકારનો અનુ ભાવ કહ્યો છે. હે ભગવન્! જીવે બાંધેલા દર્શનાવરણ કર્મનો યાવતુ પુદ્ગલપરિણામનો પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? હે ગૌતમ ! નવ પ્રકારનો. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્થાનદ્ધિ, ચક્ષુદર્શનાવરણત, અચકું દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ. જે પુગલ, પુગલો, પુદ્ગલપરિણામ કે સ્વભાવ વડે થયેલા મુગલોના પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જોવા લાગ્ય વસ્તુને જોતો નથી, જોવા ની ઇચ્છાવાળો છતાં પણ જોતો નથી. જોયા પછી પણ જોતો નથી. દર્શનાવરણ કર્મના ઉદયથી આચ્છાદિતદર્શનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ દર્શનાવરણીય કર્મ છે. હે ભગવન જીવે બાંધેલા સાતવેદનીય કર્મનો યાવતુ પુઠ્ઠલપરિણામને પામી કેટલા પ્રકારનો. મનોજ્ઞ શબ્દો, મનોજ્ઞ રૂપો, મનોજ્ઞ ગન્ધો, મનોજ્ઞ રસો, મનોજ્ઞ સ્પ, મન સંબધી સુખ, વચન સંબન્ધી સુખ અને શારીરિક સુખ. જે પુદ્ગલ, પગલો, પુદ્ગલપરિણામ અને સ્વભાવવડે થયેલા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે સતાવેદનીય કર્મ વેદે છે. હે ગૌતમ! એ સાતાવેદનીય કર્મ છે. હે ભગવનું ! જીવે બાંધેલ અસાતા વેદનીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે? ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર તેમજ ાણવો. પરતુ અમનોજ્ઞ શબ્દો યાવત્ શરીર સંબન્ધી દુઃખ હે ગૌતમ ! એ અસાતાવેદનીય કર્મ છે, હે ભગવન્! જીવે બાંધેલા મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનો. સમ્યત્વવેદનીય, મિથ્યાત્વવેદનીય, સમ્યુગ્મિથ્યાત્વવેદનીય, કષાયવેદનીય અને નોકષાયવેદનીય. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org