Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 330 ઘનવરા- 172457 સંખ્યાતગુણા છે, અને તેથી તેજોવેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતું તેજલેશ્યાવાળા એ ભવનવાસી દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી તોડા તેજલેશ્યાવાળા ભવનવાસી દેવો છે, તેથી કાપોત લેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણ લેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી વાવતું તેજલેશ્યાવાળી એ ભવનવાસિની દેવી ઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! એમજ જાણવું. હે ભગવન્! કૃષ્ણ, લેશ્યાવાળા યાવતુ તેજલેશ્યાવાળા એ ભવનવાસી દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેલેશ્યાવાળા ભવનવાસી દેવો છે તેથી તેજલેયાવાળી ભવવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવન વાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેયાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાત ગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. એ પ્રમાણે વ્યંતર દેવોને જેમ ભવનવાસીને ત્રણ અલ્પ બહત્વો કહ્યાં તેમ કહેવાં. હે ભગવનું ! તેલેશ્યાવાળા. એ જ્યોતિષિક દેવ અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેજોલેયાવાળા જ્યોતિષિક દેવો છે, તેથી તેજો લેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્! તેજલેશ્યાવાળા પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા એ વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા શુલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! તેજલેશ્યા વાળા, પદ્મવેશ્યાવાળા, અને શુક્લલેશ્યાવાળાએ વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યા વાળા વૈમાનિક દેવો છે, તેથી પવલેશ્યાવાળા અંસખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે અને તેથી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ ભવનવાસીદેવો, વ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિકદેવો છે. તેથી પત્રલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતણા છે. તેથી નીલલેશ્યા વાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તોલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતયાવાળા અંસખ્યાતગુણા છે. તેથી નીલ લેશ્યા વાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તેજોવેશ્યા વાળા જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી વાવતું તે લેશ્યા વાળી ભવનવાસિની દેવી, વ્યંતર દેવી, જ્યોતિર્ષિક દેવી અને વૈમાનિક દેવી ઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ છે. તેથી તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ અસંખ્યાતગુણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org