Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 344 પ-નવસા - 18-478 નપુંસકવેદી એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. હે ભગવન્! અવેદક “અવેદક’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અવેદક બે પ્રકારના છે-સાદિ અનન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. [479] હે ભગવનું સકષાયી ‘સકષાયી” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! સકષાયી. ત્રણ પ્રકારના છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તે યાવતુ કંઈક ન્યૂન અર્ધ પગલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્! ક્રોધ કષાયી ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે માનકષાયી અને માયાકષાયી જાણવાં. હે ભગવન્! લોભકષાયી લોભકષાયી” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અત્તમુહર્ત સુધી હોય, હે ભગવન્! અકષાયી “અકષાયી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અકષાયી બે પ્રકારના છે, તે આ પ્રમાણે-સાદિ અનન્ત અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. [48] હે ભગવન્સ લેશ્ય “સલેયે એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સલેશ્ય બે પ્રકારના છે. અનાદિ અનન્ત અને અનાદિ સાત્ત. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો કૃષ્ણલેશ્યાવાળો’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નીલેશયાવાળો નીલલેશ્યાવાળો' એ રૂપે કેટલા કાળ સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દસ સાગરોપમ સુધી હોય. કાપોતલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ!જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસં ખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી હોય. તેજલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા ભાગ અધિક બે સાગરોપમ સુધી હોય. પાલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ સુધી હોય. શુક્લલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય લેશ્વાસરોહિત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. 481] હે ભગવન્! સમ્યવૃષ્ટિ “સમ્યગ્દષ્ટિ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સમ્યવ્રુષ્ટિ બે પ્રકારે છે. સાદિ અનન્ત અને સાદિ સાત્ત છે. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરોપમ સુધી હોય છે. હે ભગવન્! મિથ્યાવૃષ્ટિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! મિથ્યાદ્રષ્ટિ ત્રણ પ્રકારે છે, અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તમહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ. અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઇક ન્યૂન અધપુદ્ગલપરાવર્ત સુધી હોય છે. સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત હોય છે. 4i82) હે ભગવન્! જ્ઞાની “જ્ઞાની” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જ્ઞાની બે પ્રકારના છે, સાદિ અનન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરોપમ સુધી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org