Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 298 પન્નવણા * 12-403 ભગવન્! અસુરકુમારોને કેટલાં વૈક્રિય શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાત છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ રૂપ અસંખ્યાતી શ્રેણિઓ છે. તે શ્રેણિઓની વિખંભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યામાં ભાગ પ્રમાણ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે ઔદ્યારિકના મુક્ત શરીરો. કહ્યાં છે તેમ કહેવાં. આહારક શરીરો જેમ એઓને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ બે પ્રકારનાં કહેવાં. બન્ને પ્રકારના પણ તૈજસ અને કામણ શરીરો જેમ એઓને વૈક્રિયા શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારો સુધી જાણવું. J404] હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં ઔદારિક શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના..-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધદારિકશરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીર છે તે અનન્તા છે અને કાલથી અનન્ત. ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોકપ્રમાણ છે. તે ભવ્ય કરતાં અનન્તગુણા અને સિદ્ધોના અનત્તમાં ભાગે છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા વૈક્રિય શરીર કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે તેઓને નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ એઓને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે આહારક શરીરો પણ કહેવાં. તૈજસ અને કાર્પણ શરીરો એઓને જેમ ઔદારિક શરીર કહ્યો છે તેમ કહેવાં. એ પ્રમાણે અપ્નાયિકો અને તેજસ્કાવિકો સંબંધે પણ કહેવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીર કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં.-બદ્ધ અને મુક્ત. તે બન્ને પ્રકારના શરીરો જેમ પૃથિવીકાયિકોને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે. અને સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ એમ અપહરાયેલાં નથી. મુક્ત શરીરો પૃથિવીકાયિકોની જેમ જાણવા, આહારક, તેજસ અને કાર્પણ શરીરો પૃથિવીકાયિકની જેમ કહેવાં. વનસ્પતિ કાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા, પરન્તુ તૈજસ અને કામણ શરીરો સામાન્ય તૈજસ અને કામણની પેઠે જાણવાં. હે ભગવન્! બેઈદ્રિયોને કેટલા પ્રકારના ઔદારિક શરીરો કહ્યા છે? હે ગૌતમ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યા તમાં ભાગ પ્રમાણ અંસખ્યાતી શ્રેણિઓ જાણવી. તે શ્રેણિઓની વિખંભસૂચી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા. શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ જાણવી. બેઇન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી ક્ષેત્રને આશ્રયી અંગુલપ્રમાણ, પ્રતરખંડ વડે અને કાલથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સપિણી અને અવસર્પિણી કાળે સમગ્ર પ્રતર અપહરાય છે. તેમાં જે મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદારિક મુક્ત શરીરોની પેઠે જાણવાં. વૈક્રિય અને આહારક બદ્ધ શરીરો નથી, અને મુક્ત શરીરો સામાન્ય ઔદારિક મુક્ત શરીરની પેઠે જાણવાં. તૈજસ અને કાર્પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org